Search This Blog

Wednesday, November 9, 2011

નિલ સરોવરમાં હંસોનુ જોડું




એક મિત્ર નિશાંતભાઈ ગોરના કહેવાથી તેઓ માટે બનાવેલી રચના.

તમારા બંધનને જોઈને જાણે યાદ આવ્યું
નિલ સરોવરમાં હંસોનુ જોડું
દિલથી જોડાયેલું અને પ્રેમથી બંધાયેલુ
નિલ સરોવરમાં હંસોનુ જોડું

તન બે પણ મન એક
નામ બે પણ આતમ એક
તું જ હું અને હું જ તું, એમ
આંખ ચાર પણ સપન એક

શતદલ પદ્મની પાંખમાં જાણે સમાયેલું
નિલ સરોવરમાં હંસોનુ જોડું
દિલથી જોડાયેલુ ને પ્રેમથી બંધાયેલું
નિલ સરોવરમાં હંસોનું જોડું.

~ :: સપન :: ~
૦૯.૧૧.૨૦૧૧

Wednesday, October 12, 2011

સમયના વહેણમાં વહી જાઉં છું....





સમયના વહેણમાં વહી જાઉં છું.
પ્રેમના વહેમમાં રહી જાઉં છું.
ભાવનાઓની રમત જ્યારે પણ રમી.
આંખોની શરમમાં રહી જાઉં છું.

રસ્તાઓની રઝળપાટને હું મારગ માનું
તળીયેથી કાંણી નાવને હું તારક માનું
લોકોથી દુર જ રહેવાને હું સારપ માનું
પછી પીડા માટે એકલતાને કારણ માનું.
આખર તો હું એક માણસ જ છું ને...
પત્થર દેખાય તો શ્રદ્ધાથી ઝુકી જાઉં છું.
....સમયના વહેણમાં....

અનંત આકાશમાં હું ઈશ્વરને શોધું.
ખોટા મારગમાં હું મંજીલને શોધું.
દિવા તળે પણ હું ઉજાસને શોધું
જાણે મૃત્યુ પછી હું શ્વાસને શોધું.
પ્રેમના શબ્દોને સમજું હું ક્યાંથી ?
કાયમ નફરતમાં ઘેરાઈ જાઉ છું.
....સમયના વહેણમાં....

આભાસી લાગણીઓમાં જીવન વિતાવું
મનનાં શબ્દોને હું કાગળ પર ઉતારૂં.
યુગોની ચાહત રાખી ક્ષણમાં પછડાઉં.
ક્યારેક ના કહેવાનું પણ કહી જાઉં.
નીંદરમાં આવી તડપાવ ના ’સપન’
હવે તો શબ્દો શોધતાં પણ થાકી જાઉં છું.

સમયના વહેણમાં વહી જાઉં છું.
પ્રેમના વહેમમાં રહી જાઉં છું.

:: સપન ::
૧૨.૦૪.૧૦

Sunday, July 3, 2011

Stories That Inspire Us...


I am remembering a story i heard in my school days.

Mr. Jhon is the first person in his small town who become a Doctor. After getting his degree he want to start his practice in his own town so he can leave joyfully at his birth place. But he found that nobody gets ill in his town. He makes research for the same and found that every person of this town is eating only healthy foods so nobody gets ill.

Now Mr. Jhon don't want to leave his motherland and also want to start his practice. So he starts a first fast food shop of that town and give name "Mr. Jhon Fast Food". In the same building he also starts his clinic. In some days, his shop running successfully and due to fast food people gets ill and his practice also starts in full speed.

Moral :

Let's side out Mr. Jhon's attitude to the citizens of that town and learn to create an opportunity where is no hope of business. Most of us always refuse to do business in those area when there is no hope to get money. But we also have to remind that the biggest hope for business is located over there only, because there must be a less or no competition. We just need to develop the opportunity over there.

Friday, September 17, 2010


ટ્રેનમાં ત્રણ વ્યક્તિ વચ્ચે ઝઘડો થયો..
પહેલો કહે ગુજરાતી જ છે ગુણવાન
બીજો કહે મરાઠી હી મહાન આહે
ત્રીજો કહે અરે બાબુમોશાઈ..
ભાલો તો ફોક્ત બંગાલી.
આ જોઈને એક મુંગો
અવાજ વગરનું
હસતો જ રહ્યો
હસતો જ રહ્યો

:: સપન ::
૧૮.૦૯.૨૦૧૦

Saturday, September 11, 2010



લ્યો, ફરી આવી ગયો સંવત્સરીનો મહાપર્વ...

ક્ષમાપનાનો ઉત્સવ...

આ સંપુર્ણ વર્ષ દરમ્યાન મારા થકી અગર આપને કોઈ મનદુ:ખ થયુ હોય.. અથવા તો જાણતાં અજાણતાં આપના દિલ - આત્માને મે ઠેસ પહોંચાડી હોય તો આજના આ સંવત્સરી મહાપર્વ નિમેત્તે આપ સૌની હું હ્રદય પુર્વક ક્ષમા ઈચ્છું છું....

|| મિચ્છામી દુકડ્ડ્મ ||

Saturday, August 14, 2010

UFO... ઊડતી રકાબી....

સુર્યની અગન જ્વાળાઓમાંથી બનેલું સૌરમંડળ... સુર્યની પરીક્રમા કરતાં નવ ગ્રહ... એ ગ્રહની પરીક્રમા કરતાં ઉપગ્રહ.. એમાંથી એક આપણી આ પૃથ્વી.... અને એનો ચંદ્ર... આખા સૌરમંડળમાં ફ્ક્ત પૃથ્વીને પાણી મળ્યાની વાત..

ત્યારબાદ પાણીમાં પાંગરેલું પ્રથમ જીવ... ત્યાંથી આગળ જતાં બની પાણીની અંદરની જીવસૃષ્ટી... ધીમે ધીમે અમુક જીવો પાણીની બહાર આવ્યા.. જમીન પર પહેલું જીવ અવતર્યું... આગળ જતાં વાંદરાનો જન્મ થયો... વાનરની સુધારેલી આવૃત્તી એટલે માનવ...

માનવીને કુદરતે આપી બુદ્ધી.... શ્રેષ્ઠ બુદ્ધી... એ બુદ્ધીના જોરે શોધની શરૂઆત થઈ... ચક્ર.. અગ્ની.. કાગળ... ઈલેક્ટ્રીસીટી... બોમ્બ.... કોમ્પુટર.. મોબાઈલ... ઈન્ટરનેટ... આ થયો આપણો ઈતીહાસ...

પણ આ સંપુર્ણ વિકાસ દરમ્યાન માનવીને અથથી ઈતી સુધી એક સવાલ હંમેશા સતાવતો રહ્યો... શું અમારૂં એક જ ઘર છે ?? પૃથ્વી... અને ફક્ત પૃથ્વી જ.... ના અમારે તો બીજું ઘર પણ જોઈએ... શોધ શરૂ થઈ બીજા ગ્રહની.. ત્યાંના રહેવાસીઓની..

પરીણામ રૂપે આવ્યા દુરબીન... ટેલીસ્કોપ.. રોકેટ.. સ્પેશ શટલ.. શ્પેશ શીપ.. કુદરતી ઉપગ્રહને રેસ આપતો કુત્રીમ ઉપગ્રહ... અને હવે.. સ્પેશ સ્ટેશન.. સફર કરી આવ્યા ચંદ્રની અને મોકલી દિધા આપણા મશીનોને મંગળ સુધી.. ગુગલે ગુગલ અર્થ બનાવ્યુ.. સાથે એમા ફેસીલીટી આપી અવકાશની સફરની... જેમાં તમે જોઈ શકશો હજારો ગેલેક્સીઓ અને લાખો તારાઓ... પરંતુ ફરીથી એ સવાલ તો ત્યાંનો ત્યાં જ છે.... આટલા મોટા બ્રહ્માંડમાં શું આપણું એક જ ઘર ?? પૃથ્વી અને ફક્ત પૃથ્વી જ ??

એની પાછળ બીજા સવાલો... શું આપણું કોઈ પડોશી નહી ?.. શું બીજી દુનીયામાં હશે? ત્યાં કોણ રહેતું હશે ? જે હશે તે કેવા દેખાતા હશે ? તેઓ કેટલા હશે ?? તેમની વસ્તી માનવ કરતાં વધારે કે ઓછી ? તેઓ શું ખાતા-પીતા હશે ? શુ પહેરતા-ઓઢતા હશે ? શું તેઓ આપણી કરતાં તાકતવર હશે ? સવાલ પર સવાલ.. સવાલ પર સવાલ... પણ કોઈ જવાબ નહી....

બસ મળ્યા તો અમુક કિસ્સા.. જેમાં દરેકે આકાશમાં ઉડતી રકાબી (સ્પેશ શીપ) જોઈ... કોઈ તેને ગેરસમજ કહે છે તો કોઈ તેને સત્ય જણાવે છે.. અરે કોઈ તો તેને ધર્મ સાથે જોડી દીધા...
ચાલો મુળવાત પર આવું અને વાત અગર થોડી પાછળ લઈ જાઊં તો ઘણી ગુફાઓમાં આદિમાનવોએ બનાવેલાં ભીંતચિત્રો પણ મળી આવ્યા છે... ઘણાં પુસ્તકો છપાયાં અને ઘણાં સમાચારો આવ્યા...

અમેરીકામાં ઉડતી રકાબીઓના સંશોધનની ખરી શરૂઆત કેનેથ આર્નોલ્ડના કીસ્સાથી થઈ. કેનેથ એક અમેરીકન વ્યવસાયી હતાં. બીજા વિશ્વયુદ્ધ બાદ ૧૯૪૭માં તેઓ પોતાના અંગત વિમાનમાં વોશીંન્ગટનના રેઈનીઅર પર્વત પાસેથી પસાર થતાં હતાં ત્યારે તેઓએ અવકાશમાં કોઈ રહસ્યમય પદાર્થ જોયો હતો. ત્યારબાદ સંશોધકોએ નોંધ્યુ છે કે આ પર્વતની આજુબાજુ આવા આશરે ૮-૧૦ પદાર્થો ઉડતાં દેખાય છે. કેનેથના વર્ણન મુજબ એ પદાર્થ પરાણે જોઈ શકાય એવો અર્ધચંદ્રાકાર ધરાવતો હતો. આ સીવાય પણ અન્ય વર્ણન કર્યા હતાં. તેના વર્ણનોની વ્યાપક નોંધ લેવાઈ થોડા દિવસની અંદર તેના માટે UFO (Unidentified Flying Object) શબ્દ પ્રચલિત થયો હતો. કેનેથના કીસ્સાબાદના જ અઠવાડીયામાં બીજા સેંકડો આવા પ્રકારના કીસ્સા વર્તમાન પત્રોને પાને ચઢી ગયા હતાં, જેમાં મોટા ભાગે અમેરીકાના જ હતાં. અહીં એક બનાવમાં એક પાયલતે ઈડાહો પાસે આવી નવ રકાબીઓ ઉડતી જોઈ હતી.

ઉડતી રકાબીઓના કીસ્સા માટે અમેરીકાની એર ફોર્સ દ્વારા ૧૯૫૨ માં પ્રોજેક્ટ બ્લુ બુક પણ શરૂ કરવામા આવ્યો હતો.. જે પાછળથી ૧૯૭૦માં બંધ કરી દેવામાં આવ્યો.(કારણ નથી ખબર)

કહેવાય છે કે કેટલીક સરકાર ઉડતી રકાબીની અમુક વાતોને છુપાવે છે. તેને લગતાં સામાન પણ સરકાર ખાનગી રીતે છુપાવીને રાખે છે. એરીયા ૫૧ ની જે વાત નીખીલભાઈએ કરી તે ઘણે અંશે સાચી છે. કહેવાય છે કે ત્યાં કોઈ પણ અજાણી વ્યક્તી દેખાય તો શુટ એટ સાઈટનો ઓર્ડર છે.

રોબર્ટ સ્કોટ લઝાર (જાણીતું નામ બોબ લઝાર) નામની વ્યક્તીએ દાવો કર્યો હતો કે તેઓએ નેવાડામાં ગ્રુમ લેક પાસે અને એરીયા ૫૧ ની બાજુમાં આવેલા સેક્ટર ૪ માં ૧૯૮૮-૮૯ દરમ્યાન ભૌતીક શાષ્ત્રી તરીકે ફરજ બજાવી છે. સેક્ટર - ૪ એ અમેરીકન મિલીટરીનું એક ગુપ્ત સ્થાન છે જ્યાં રીવર્સ એન્જીનીયરીન્ગ અને બાહ્ય અવકાસી પદાર્થો પર શોધ સંશોધન થાય છે. લઝારનો દાવો હતો કે તેમણે ત્યાં નવથી વધુ જુદી જુદી જાતની UFO પર કામ કર્યું છે... લઝારની પ્રસીદ્ધી ત્યારે ઘટી ગઈ જ્યારે તેના સ્કુલ પછીના કોઈ રેકોર્ડ ના મળ્યા અને એની સાયન્ટીફીક કોમ્યુનીટીના ઘણાએ એને એક પણ વાર મળ્યાની વાતને નકારી દીધી... પાછળથી લઝારનું શું થયું એની લગભગ કોઈને જાણ નથી (!)(!)(!)...

હજી તો આવી ઘણી વાતો છે.. જે આપણે જાણતાં નથી... કે જેની આપણને જાણ કરવામાં આવી નથી.... અને એ વિશે પણ ચર્ચાઓ તો ચાલતી જ રહેશે...

=: સપન :=
૧૪.૦૮.૧૦

Friday, May 21, 2010

ભીખ... દાન.. ધર્માદા..


મિત્રો...

સૌથી પહેલાં તો આપણે આ ભીખ.. દાન... ધર્માદો શું છે એ સમજીએ તો એની ઉપયોગીતા સમજમાં આવી જશે...

રસ્તે ચાલતાં કોઈ ગરીબ તમારી સામે હાથ લાંબો કરીને કશું માંગે છે અને તમે તેને રૂપીયા કે ખાવાની વસ્તુ આપો છો તો તે ભીખ છે.... કોઈ સંત વ્યક્તીને કે કોઈ સારી સંસ્થાને, કોઈ પશુ-પંખીને અપાયેલા ખોરાક કે રૂપીયા કે વસ્તુને દાન કહેવાય છે...... અને કોઈ આત્મજન ગુજરી જાય તો એની પાછળ અપાતાં દાનને આપણે ધર્માદો કહીએ છીએ.

બીજો સવાલ એ કે ભીખ કે દાન કે ધર્માદો કરવો જોઈએ કે નહી ??

તો મારા મત મુજબ હા. આ ત્રણે કરવા જોઈએ..... કારણ કે

(૧) ગરીબને ભીખ આપવાથી આપવાથી આપણે સામે વાળી વ્યક્તીની ફક્ત ગરીબી કે લાચારી દુર નથી કરતાં પણ એક એવા સમયને પણ જોઈએ છીએ જ્યાં માનવી નિઃસહાય થઈ જાય છે.....(આ તો દરેકનો જોવાનો નજરીયો છે..)... સમય અને સંજોગો માનવીને કેટલી હદ સુધી પછાડી શકે છે એ આપણે પોતાની નઝર સમક્ષ જોઈ શકીએ છીએ. અને એ સાથે જ આપણે એવા સંજોગો સામે બાથ ભીડવા આગોતરી તૈયારીઓ પણ કરી શકીએ છીએ. વૈગ્યાનીક રીતે એ સાબીત પણ થયુ છે કે જે વ્યક્તી ભીખ, દાન કે ધર્માદો નીયમીત રીતે કરે છે તે માનસીક રીતે વધુ મજબુત હોય છે.

(૨) સંતને કરેલા દાનમાં હંમેશા સંતના આશીષ રૂપી ફળ છુપાયેલું હોય છે અને સંતના આશીર્વાદના ફાયદા કેટલા હોય છે એ તો આપ સૌ જાણો જ છો.

(૩) અમુક સંસ્થાઓ ચાલે છે જે ખરેખર સેવા કાર્ય કરતી હોય છે....(મહેરબાની કરીને રાજકીય પક્ષોને આ સંસ્થાઓ સાથે જોડવા નહી...)... એવી સંસ્થાઓને અપાયેલા દાનથી દેશ અને સમાજનો ઉદ્ધાર થાય છે. આ સંસ્થાઓ અને એની ટીમ એવી વ્યક્તીઓ અને એવા ક્ષેત્રો સુધી પહોચે છે જ્યા કોઈ એકલા વ્યક્તીનું પહોંચવું ખરેખર અઘરૂં હોય છે, કહો કે અશક્ય હોય છે.

(૪) ધાર્મિક સંસ્થાઓને (મંદીર, મસ્જીદ, ગુરૂદ્વારા વિ.ને પણ અહીં શામેલ કરશો) કરાતા દાન પુણ્ય દ્વારા આપણે આપણા આત્માને તૃપ્ત કરીએ છીએ. આ વાત થોડી આધ્યાત્મીક છે પણ એટલી જ જરૂરી છે. આત્માની શાંતી... આત્માની તૃપ્તી... આત્માનો આનંદ એ કોઈપણ વ્યક્તીને ખુશહાલ જીવન આપવામાં પાયારૂપ બને છે. (આ વીશે વધુ નથી લખતો.. નહી તો આ ચર્ચા પ્રવચનમાં ફેરવાઈ જશે)

(૫) આપણે માણસ છીએ. ભુખ લાગે તો જાતે બનાવી લઈશું... જાતે ના બનાવી શકીએ તો બોલી શકીશું.. બોલી પણ ના શકાય તો ઈશારાથી માંગી લઈશું.. પણ મુંગા પશુ-પંખી કે જીવાતોનું શું ?? તેઓને પણ ભગવાને પેટ તો આપ્યુ જ છે. તો એમને કરાયેલું દાન પણ એટલું જ જરૂરી છે.

(૬) કોઈ આપ્તજન પાછળ જ્યારે કોઈ ધર્માદો કરે છે તો તેના દ્વારા એ આપ્તજનની આત્માની શાંતી માટે પ્રાર્થના પણ કરે છે. જગતને છોડીને ગયેલા આત્મા માટે પણ શાંતી પ્રાર્થના જરૂરી છે અને કદાચ આ કારણથી જ આ ધર્માદાનો રીવાજ અમલમાં આવ્યો હશે.

હવે ત્રીજો સવાલ.. ભીખ કે દાન કોને કરવા જોઈએ ??

શું દરેક ભીખારીને ભીખ આપવી જોઈએ ?? શું દરેક સંત અથવા ધાર્મીક કે સામાજીક સંસ્થાને દાન આપવું જોઈએ ??

તો આનો જવાબ મારા મત મુજબ ના છે. કોઈ ભીખારીને ભીખ આપતા પહેલા એ ચકાસવું જરૂરી છે કે શું એ ભીખ આપવાને લાયક છે. ક્યાંક એણે આ ભીખ માંગવાનો ધંધો તો નથી આદર્યો ને ?? હવે તમે કહેશો કે રસ્તે ચાલતાં કે ટ્રેનમાં મળેલા ભીખારીની એ લાયકાત ક્યાં તપાસવા જવી ?? તો મારૂ સુચન છે કે એવી વ્યક્તીને ભીખ આપવાનું ટાળો અને ખાસ કરીને રૂપીયા. હા, બાકી હાથ પગ કે આંખો વગરના માનવીની લાયકાત તપાસવાની તો જરૂર જ નથી હોતી.

સંતમાં પણ એની અંદરના સાતત્યને ચકાસવું જરૂરી છે. તેવી જ રીતે ધાર્મીક-સામાજીક સંસ્થાઓની પણ યોગ્યતા ચકાસવી જરૂરી છે. કારણ કે ઘણી જગ્યાએ આ સંસ્થાઓની આડમાં બીઝનેસ અને ટેક્સ સેવીન્ગસ થતાં પણ મે જોયા છે.

દાન આપવા માટે મનુષ્યની કે એના દ્વારા ચાલતી સંસ્થાઓની ચકાસણી કરવી જરૂરી બને છે પણ પશુ-પંખી માટે આ ચકાસની જરૂરી નથી એ કેવું વિચિત્ર કહેવાય નહી ??

ગરમીની સીજન પુરબહારમાં ચાલે છે એટલે out of topic આ સુચન લખવાનું મન થાય છે. તમારા ઘરની બહાર કે છત કે અગાસી ઉપર પાણીનાં કુંડા ભરીને મુકી રાખશો. મુંગા પશુ પંખીને પાણી પીવડાવવું એ પણ એક દાન આપવાની રીત જ છે....

હજી એક સવાલ બાકી છે... ભીખ, દાન કે ધર્માદા કેવી રીતે કરવાં ??

ભીખારીને ભીખ આપવી... સંસ્થાને કે સંતને દાન આપવું... કે આત્મજન પાછળ ધર્માદો કરવો એ આમ તો સીધી સાદી વાત છે... પણ કામ કેવી રીતે કરવા એ એક મહત્વની વાત છે.

ભીખારીને તમે રૂપિયાને બદલે ખોરાક પણ આપી શકો છો... આજકાલ ભીખ માંગવો એ ખરેખર એક ધંધો બની ગયો છે... આ ધંધાને કાબુ કરવા માટે આપણે જ સૌથી પહેલા જાગૃત થવાની જરૂર છે. અગર આપણે રૂપીયા આપીશું તો ભીખ માંગવી એ એની આદત બની જશે. પણ ખોરાક આપીશું તો એ કરી કરીને કેટલો ખોરાક એકઠો કરશે ?? અને દરેક જરૂરીયાત ફક્ત ખોરાકથી જ થોડી પુરી થવાની છે ?? આ દ્વારા તેને મહેનત કરવાની પ્રેરણા મળશે. માનુ છું કે આને કારણે કદાચ ભીખારીઓ ક્રાઈમ તરફ વળી જાય... પણ એ ડરથી આપણે પ્રયત્ન કરવો જ મુકી દેવો એ વાત તો યોગ્ય નથી ને ??

સંત કે સંસ્થાને પણ અગર થઈ શકે તો રૂપીયા આપવાના ટાળવા. તેમને રૂપીયા ન જ આપવા એમ નથી કહેતો. કારણ કે તેમની અમુક જરૂરીયાત તો તેના દ્વારા જ પુરી થશે. પણ તેમને પણ તેમની જરૂરીયાતી સામાન અગર આપશો તો ધાર્મિક સંસ્થાઓ અને સંતોમાં દુષણ ફેલાતુ અટકશે. (આ મારૂં માનવું છે... બાકી જેવી દ્રષ્ટી તેવી સૃષ્ટી.)

પશુ પક્ષીઓ માટે આવુ નથી જ લખવું પડતું. કારણ કે તેઓમાં માણસ જેટલી લુચ્ચાઈ તો નથી જ ભરેલી હોતી..

આ સીવાય પણ મદદના પ્રકાર છે. જેમ કે મિત્રોને મુસીબતમાં મદદ કરવી... એને જાણ ના થાય એમ... એ પણ દાનનો જ એક પ્રકાર છે. કહેવાનો અર્થ એજ કે નેકી કર ઔર કુવે મે ડાલ... જે પણ દાન કરો.. મદદ કરો... ભીખ આપો એનો ઢંઢેરો ના પીટવો...

અને હા, ભલે થોડુ દાન કરો પણ મનથી... દિલથી કરો.. લાગણીથી કરો, બુદ્ધીથી નહી... પરમાર્થ માટે કરો, સ્વાર્થ માટે નહી....

મિત્રો...

એક વિનંતી કરૂં છું...

અગર કોઈ તકલીફ ના હોય તો જીવનમાં રક્તદાન અને મૃત્યુ બાદ ચક્ષુદાન અને દેહદાન જરૂર કરજો... કારણ કે આ દાન દ્વારા તમે કોઈને જીવનદાન અને કોઈને પ્રકાશનું દાન આપી શકો છો તો કોઈ મેડીકલના વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થઈ વિદ્યાનું દાન પણ આપી શકો છો.

આભાર...

:: સપન ::
૨૧.૦૫.૧૦