Search This Blog

Monday, January 5, 2009

ભગવાન ક્યાં છે???

સૌથી પહેલા એ સમજીએ કે ભગવાન શું છે??

શ્રી રામ, શ્રી કૃષ્ણ, શ્રી મહાવીર, શ્રી મહાદેવ, શ્રી વિષ્ણુ, શ્રી સાંઈ વિગેરેને આપણે હમણાં ઉત્તમ આત્મા માની પરમાત્માના સ્થાને મુકીએ. તેઓ ભગવાન છે, તેઓ મહાન છે, એની ના નથી પાડતો પણ આ એક સમજણ ખાતર હાલમાં આપણે આમ જ ધારીએ. તો ભગવાનની વ્યાખ્યા શું કરશો??

મિત્રો..
મારા મત મુજબ..

જ્યારે તમે જન્મો છો ત્યારે તમને પોતાના પેટમાં નવ મહીના સુધી સાચવી રાખનાર "મા" એ ભગવાન છે. તમારી નાની નાની જરૂરીયાત માટે તનતોડ મહેનત કરનારા તમારા "પીતા" એ ભગવાન છે. તમને ગેરમાર્ગે જતાં રોકનાર તમારા વડીલો એ ભગવાન છે. તમને સાચુ શીક્ષણ આપનાર તમારા ગુરૂ એ તમારા ભગવાન છે. કોઈ અજાણ્યાએ તમારી બેકારી દરમ્યાન તમને રોજી રોટી માટે નોકરી આપી તો એ ભગવાન છે. કપરા સમયમાં તમારી મદદે પહોંચનાર તમારા મિત્ર એ ભગવાન છે. ટુંકમાં દરેક ઉપકારી એ તમારા ભગવાન છે.

આ સીવાય..

બે દિવસ સુધી ભુખ્યા માણસને જ્યારે કોઈ વ્યક્તિ પેટ ભરીને જમાડે છે ત્યારે એ ભુખ્યો માણસ જમાડનારને ભગવાન કહેશે. પેટ ભર્યા પછી એની સજળ આંખોમાં જ તમને જમાડનાર પ્રત્યેની એની અનન્ય ભક્તિ જોવા મળશે.

શીયાળાની ઠંડીમાં થીજાતા અને ફુટપાત પર સુતાં ગરીબને જ્યારે જ્યારે કોઈ ધાબળો ઓઢાડે છે ત્યારે એ ગરીબ માણસ મનમાં એમ માને છે કે જાણે એને માટે ભગવાન આવ્યા.

શું આવી વ્યક્તિઓને તમે ભગવાન નહી કહો?? હું તો કહીશ દાન કરતાં દરેક હાથ એ ભગવાન છે.

તો પછી ઉપર જે નામ લખ્યા એ કોણ છે?

એ બધાં પણ ભગવાન જ છે. એ દરેક આધ્યાત્મની સિમાઓ મેળવી ચુકેલી આત્મા છે. આ એવા ઉત્તમ આત્માઓ છે જેમણે અન્ય આત્માઓને સદ્કાર્યો કરવા પ્રેર્યા છે. અથવા એમ કહો કે આ આત્માઓ એ મનુષ્યમાત્રને આધ્યાત્મનો ઉત્તમ માર્ગ બતાવનાર આત્મા છે. આમ તેઓ સંપુર્ણ મનુષ્ય જાતીના ઉપકારક એવા ભગવાન છે.

જૈન શાષ્ત્રો પ્રમાણે વાત કરૂં તો...

દરેક આત્મા પરમાત્મા બની શકે છે. દરેકની અંદર મોક્ષ મેળવવાની શક્તિ રહેલી છે. આપણે મોક્ષ એટલે નથી મેળવી શક્તા કારણ કે આપણા જ કરેલા દુષ્કાર્યો આપણને નડે છે. આપણા દુષ્કાર્યો એ તરવાનો સ્વભાવ ધરાવતાં લાકડા પર લાગેલો એવો મેલ છે જે એ લાક્ડાને ડુબાડી દે છે. શાષ્ત્રો કહે છે કે તમે પણ ભગવાન બની શકો છો. જરૂર છે ફક્ત તમારા દુષ્કાર્યોને દુર કરવાની.

મિત્રો....

ભગવાન શું છે એનો ખ્યાલ તો તમને આવી ગયો હશે... હવે મુળ સવાલ ભગવાન ક્યાં છે???

ઉપર જે નામ લખ્યા છે એ દરેકે કહ્યુ છે કે ભગવાન તો તમારી આસપાસ જ છે તમારે જરૂર છે એને ઓળખવાની.

તો આપણે ભગવાનને ઓળખશું કઈ રીતે?? એનો પણ એક સરળ રસ્તો છે.

તમે જ્યારે કોઈ ભિખારીને પચાસ પૈસા આપતો હાથ જુઓ તો સમજજો એ ભગવાન છે.
જ્યારે તમે કોઈ માતા કે પિતાને પોતાના પુત્રના માથે વ્હાલથી હાથ ફેરવતાં જુઓ તો સમજજો કે એ ભગવાન છે.
જ્યારે તમે ભરઉનાળે બપોરના સમયે રસ્તા પર જતાં હોવ અને છાંયડા માટે તમને એક વૃક્ષ મળી જાય તો સમજજો એ વૃક્ષ ભગવાન છે.
એક્સીડેન્ટ થયો હોય ત્યારે ઈજા પામેલી વ્યક્તીને ઉઠાવનાર હાથ એ ભગવાન છે.
પગ છોલાઈ ગયો હોય અને સખત લોહી નિકળતું હોય ત્યારે પાટો બાંધનાર હાથ એ ભગવાન છે.
અરે!! તમને તરસ લાગી હોય અને તમને કોઈ પાણી ધરે તો સમજવું એ હાથ ભગવાન છે.

ભગવાન ગરમી લાગતી હોય ત્યારે પંખામાંથી વહેતા પવનમાં છે. રડવું આવતું હોય ત્યારે સાંત્વના બનીને નિકળેલા શબ્દોમાં છે. સૌથી સુંદર અહેસાસ એવા પ્રેમમાં ભગવાન છે.

હવે એક નવો સવાલ. અગર ભગવાન આટલી બધી જગ્યાએ છે તો મંદિર કે દેરાસર જેવા સ્થળોએ જવાની શી જરૂર??

હા, જરૂર છે. કારણ કે ત્યાં જે પ્રતિમાઓ છે એ પ્રેરણા સ્ત્રોતો છે. એમને જોતાં, એમની સ્તવના કરતાં કે એમની પૂજા કરતાં આપણા મનમાં એમના જિવન ચરિત્રની વાતો આવે છે. જે આપણને સદ્કાર્યો કરવા પ્રેરે છે. કૃષ્ણએ કાલીનાગને નાથ્યો કે મહવીરે ચંડકૌષીક નાગને ક્ષમા અને સમજણ આ.પી એવા પ્રસંગો ઉપર બનેલા ગીતો કે સ્તવનો જ આપણને જીદગીની ગુથ્થીઓ ઉકેલવામાં મદદ કરે છે.

એક નાનકડી વાર્તા
દર્શન અને મનન સાથે મંદિરે જાય છે. સોમવાર હોવાથી મહાદેવના મંદિરમાં ખુબ ભિડ હોય છે. ભિડ જોઈ મનન દર્શનને કહે છે "ચાલ પાછા જઈએ.. ખુબ ભિડ છે."
દર્શન : "અરે અહી સુધી આવીને પાછા કેમ જવાય."
મનન: " તો જા તું જઈ આવ. હું અહી બાગમાં આંટો મારીશ"
દર્શન : "ઠીક છે."

આમ દર્શન મંદિરમાં જાય છે અન મનન બાગમાં આંટો મારે છે. બાગમાં આંટો મારતાં મારતાં મનનને એક સોનાનો અછોડો મળે છે. અને દર્શન જ્યારે પાછો ફરી ચંપલ પહેરવા જતો હોય છે ત્યારે તેના ચંપલમાં બેઠેલો વિંછી એને ડંખી જાય છે.

ડંખને કારણે બન્ને મંદિરના ઓટલે ભેગા થઈને બેસે છે. ત્યારે મનન કહે છે. "અડધો કલાક સુધી આટલી લાંબી લાઈનમાં ઉભો રહી તે દર્શન કર્યા તો તને વિંછી નો ડંખ મળ્યો. અને જો હું બાગમાં આંટો મારતો રહ્યો તો મને આ અછોડો મળ્યો. જે ભગવાનને ભજવા તે તારાં પગ દુખાડ્યા તેણે તને ડંખ અપાવ્યો તો પછી આવા દર્શન કરવાનો અને આવા ભગવાનને ભજવાનો શું ફાયદો?"

બન્નેની વાત બાજુમાં બેઠેલા એક સાધુ મહાત્મા સાંભળતાં હતાં. તેણે મનનના ખભે હાથ મુકી કહ્યુ.

"બેટા મનન, તું જે વાત કહે છે તો તેનો જવાબ સાંભળ. આજે આ દર્શનના ભાગ્યમાં મૃત્યુ યોગ લખ્યો હતો. પણ એણે આજે ભગવાનને ભજ્યા તેથી તે મૃત્યુ યોગ વિંછીનાં ડંખથી ટળી ગયો. અને તારા ભાગ્યમાં આજે ખુબ મોટો લક્ષ્મી યોગ હતો. પણ તે અહી સુધી આવીને ભગવાનના દર્શન-ભજન છોડી બાગમાં ભટકતો રહ્યો તેથી તારે હવે આછોડાથી જ સંતોષ માનવાનો છે. હવે મને કહે કે આવા દર્શન-ભજનનો શું ફાયદો??"
=====================
શુભમ ભવતુ... અસ્તુ....
=====================

Tuesday, December 2, 2008

.....ત્યારે લાગી આવે



એને દિલમાં વસાવીએ અને એ જ્યારે દીલ તોડી જાય ત્યારે લાગી આવે.
એના પ્રેમમાં પાગલ થઈ જઈએ અને એ તરછોડી જાય ત્યારે લાગી આવે.

મન કહે શું સુંદર ફુલ છે? પછી એને કોઈ તોડી જાય ત્યારે લાગી આવે.
માળી વસાવે ઉપવનને. પછી કોઈ એને ઉઝાડી જાય ત્યારે લાગી આવે.

સુખમાં કાયમ સાથ દેનારા. દુખમાં હાથ છોડી જાય ત્યારે લાગી આવે.
દર્દ કોઈ સમજે ના સમજે પણ જ્યારે કોઈ રડાવી જાય ત્યારે લાગી આવે.

ઉગતા સુર્યને સૌ કોઈ પુજે. ડુબતાની મજા માણી જાય ત્યારે લાગી આવે.
પુનમના ચંદ્રને પ્રેમ કરે અને એને અમાસે કાળો કહી જાય ત્યારે લાગી આવે.

પત્થરને પુજીને લોકો પુણ્ય કમાય. ભુખ્યાને લાત વાગે ત્યારે લાગી આવે.
પ્રેમની વાત કરે છે જે લોકો એ જ્યારે વેર વાળી જાય ત્યારે લાગી આવે.

કોઈની પ્રીતમાં ખોવાઈ જઈએ અને એ પુંઠ ફેરવી જાય ત્યારે લાગી આવે.
કોઈ આંખોમાં સમાઈ જાય અને પછી "સપન" તુટી જાય ત્યારે લાગી આવે.

:: સપન ::
૦૨-૧૨-૨૦૦૮

હું છું સપન સુરતીલાલો

{ સુર્યપુત્રી તાપી - Tapi River - Daughter of Sun }


હું છું સપન સુરતીલાલો
જીવનથી ભરપુર જીવનનો પ્યાલો
હું છું સપન સુરતીલાલો

ક્યારેક ડાહ્યો ક્યારેક ડમરો
ક્યારેક ફુલ ક્યારેક ભમરો
થોડો પ્યારો થોડો ન્યારો
નાગર નટખટ સૌનો વ્હાલો
હું છું સપન સુરતીલાલો
જીવનથી ભરપુર જીવનનો પ્યાલો
હું છું સપન સુરતીલાલો

થોડો સીધો થોડો વાંકો
થોડો સહેલો થોડો આકરો
થોડો બુરો થોડો ભલો
થોડો શાણો થોડો ભલો
હું છું સપન સુરતીલાલો
જીવનથી ભરપુર જીવનનો પ્યાલો
હું છું સપન સુરતીલાલો

:: સપન ::

Wednesday, November 19, 2008

શરૂઆતથી જ હું અંતને શોધતો રહ્યો.


શરૂઆતથી જ હું અંતને શોધતો રહ્યો.
ના જાણે કેમ હું ખુદ ને ખોળતો રહ્યો.

પહેલાં જ કદમથી મે મંજીલને ઈચ્છી,
મંજીલ ધ્યાનમાં રહી, રસ્તા ભુલતો રહ્યો.

વરસતા વાદળમાં પલળવાની ઈચ્છા થઈ
વાદળ વરસી ગયું, હું કોરો-સુકો જ રહ્યો.

હસવાને ફેલાવ્યા જ્યારે મે હોઠો,
એક આંસુ આવ્યુ, હું ગમ પીતો રહ્યો.

કવીતા લખવા ઉપાડી મે કલમ,
શબ્દ મળ્યા મને, અર્થ હું ખોતો રહ્યો.

આંખો મીચીને મે યાદ કરી જો એને,
સપન ના આવ્યુ, ને હું જાગતો રહ્યો.

સપન
૧૮.૧૦.૨૦૦૮

Friday, November 7, 2008

કવીશ્રી આદિલ મન્સુરીને શ્રદ્ધાંજલી.

શાહી તો મળી જાશે પણ એ કલમ ક્યાંથી મળશે??
દરેક મનને જીતી લેતું એ મન ક્યાંથી મળશે??
કવીતાઓમાં ધબકતું એ જીવન ક્યાંથી મળશે??
ગુજરાતને ધબકારતા ’આદિલ’ ક્યાંથી મળશે??
"સપન"

કવી શ્રી આદીલને શ્રદ્ધાંજલી અર્પવાનો એક નાનો અને નમ્ર પ્રયાસ...

લીલાછમ પર્વત પર રમતું વાદળ તું લાગે છે.


લીલાછમ પર્વત પર રમતું વાદળ તું લાગે છે.
શીયાળુ ઝાકળની ભીની ચાદર તું લાગે છે.

રાતે વાદળ પાછળ ચમકતી વિજળી તું લાગે છે.
પ્રભાતે ખીલતા ગુલાબની પાંદડી તું લાગે છે.

શબ્દોના બંધનથી મુક્ત કવીતા તું લાગે છે.
હસતી રમતી ઉછળતી કુદતી સરીતા તું લાગે છે.

પુનમની રાતે રેલાતી ચાંદની તું લાગે છે.
પાટણના પટોડા પર શોભતી બાંધણી તું લાગે છે.

મનનાં નિ:સ્વાર્થ પ્રેમની લાગણી તું લાગે છે.
સપનને તો કોઈ સુંદર શાયરી તું લાગે છે.

સપન
૧૭.૧૦.૨૦૦૮

वो नझरे भी मिलाते है और आंखे भी चुराते है

वो नझरे भी मिलाते है और आंखे भी चुराते है
जब भी मिलते है वो, तब ऐसे ही शरमाते है

बीना मिले उन्हे हम रेह नही पाते
जब मिलते है, कुछ केह नही पाते
वो हमारी आंखो को पढ लेते है
फ़ीर आंखो से ही सब केह जाते है
खामोशीयो मे वो याद आते है
बातो में भी वो चले आते है

जब आंखो को बंध करके हम सो जाते है
तब चुपके से आके वो सपन मे समा जाते है.

सपन
१९.१०.२००८