Search This Blog

Tuesday, September 30, 2008

સહુથી અઘરો સવાલ છું હું....


સહુથી અઘરો સવાલ છું હું
કોઈ તો કહે મને, કોણ છું હું?
પાનખરમાં ખરતું પાન છું હું ?
કે પછી નિશાન ચુકેલું બાણ છું હું?
કદાચ ટુટેલો દર્પન છું હું..
કોઈ તો કહે મને, કોણ છું હું?

આંટી ઘુટી ને આટા પાટા, જીવન જાણે જુગાર સટ્ટા
એક બાજી જિત્યા જ્યારે,તેર બાજી હાર્યા ત્યારે,
સતત હારતો સિકંદર છું હું.
કોઈ તો કહે મને, કોણ છું હું?

દરીયે તોફાન, વચ્ચે વમળ.
નાવ છે નાની, એ પણ કાણી.
એ નાવની પતવાર છું હું.
કોઈ તો કહે મને, કોણ છું હું?

આંધીએ અટવાયેલું વહાણ છું હું
કે પછી આંખે ભોંકાતું ’સપન’ છું હું.
કદાચ જવાબ વિનાનો સવાલ છું હું.
કોઈ તો કહે મને, કોણ છું હું?

સપન
૨૭.૦૯.૨૦૦૮

Thursday, August 28, 2008

"મિચ્છામી દુકડ્ડ્મ"

મિત્રો,

આજકાલ જૈનોના પર્યુષન પર્વ ચાલી રહ્યા છે. તેથી આપ સૌને "મિચ્છમી દુકડ્ડ્મ" શબ્દ ખુબ સાંભળવા મળશે. તો આ ટોપીક એના વિશ જ છે...

"મિચ્છામી દુકડ્ડ્મ" શબ્દ એ અર્ધમાગધી ભાષાનો છે અને તેનો અર્થ થાય છે "હું માફી માંગુ છું"

"જિવનમાં કોઈ પણ જીવનું અગર મારા મનથી અહીત ઈચ્છ્યુ હોય કે અહીત થયુ હોય અથવા મારા વચનને કારણે (એટલે કે મારી બોલીને કારણે) કોઈનું અહીત થયુ હોય કે કોઈને દુઃખ પહોચ્યુ હોય અથવા મારા શરીર થકી કોઈનું અહીત થયુ હોય કે કોઈને દુઃખ પહોચ્યુ હોય તો તે બદલ હું એ દરેક જીવની માફી માંગુ છું. મે મનથી, વચનથી કે કાયાથી મે કોઈ જીવને હણ્યો હોય, હણાવ્યો હોય અથવા કોઈએ હણ્યો હોય અને મે તેની અનુમોદના (વાહ વાહ) કરી હોય તો તે બદલ હું માફી માંગુ છું"

આ રીતે દરેક જૈને સંવત્સરી (એટલે કે પર્યુષણ નો છેલ્લો દિવસ) પહેલાં દરેજ જીવની માફી માંગવાની હોય છે... સાથે સાથે જૈન દર્શનમાં બતાવેલા અઢાર પાપસ્થાનો પૈકી કોઈ પાપ કર્યુ હોય તો તેની પણ માફી માંગવાની હોય છે.... અને આથી જ પર્યુષણ પર્વ એ ક્ષમાપનાનો મહોત્સવ કહેવાય છે...

કોઈને તમાચો ચોડી દેવો સહેલો છે, પણ ત્યાર પછી માફી માંગવી અઘરી છે.
કોઈના વેરની સામે વેર વાળવુ સહેલું છે, પણ વેરની સામે માફી આપવી અઘરી છે.
જે માનવી દુશ્મનને જીતી જાણે તે વીર કહેવાય, પણ જે માનવી દુશ્મનને માફ કરી જાણે તે મહાવીર કહેવાય.

જૈનોના ચોવીસમા તિર્થંકર શ્રી મહાવીર સ્વામી પરમાત્માએ ક્ષમાનો અદભુત મહીમા બતાવેલ છે. તો શરૂઆત પણ એમના જ જીવન પ્રસંગોથી કરીએ..

એક વખત એક મહારજ સાહેબ (જૈન મુની){નામ મને નથી યાદ પણ તેમના નામમાં કૌષીક શબ્દ આવે છે તે યાદ છે} તેમના શિષ્ય બાલ મુની ને લઈને વિહાર કરતાં હતાં રસ્તામાં એક મૃત દેડકા ઉપર મ. સા. નો પગ પડી ગયો. તેથી તેમણે બાલ મુનીને આ અંગે તેઓ તેમના ગુરૂ પાસે ક્ષમા માંગી લે એવુ યાદ કરાવવાં કહ્યુ. ઉપાશ્રય પહોચ્યા એટલે બાલ મુની એ વિનયભેર તેમને યાદ કરાવ્યું કે "ગુરૂદેવ ઓલા મૃત કાચબા ઉપર આપનો પગ પડેલો એ અંગે આપે દાદા ગુરૂ પાસે ક્ષમા માંગવાની છે." પણ તેઓ અન્ય કામમાં હોઈ તે કામ પછી થી કરીશ એમ કહ્યુ. દિવસમા બે-ત્રણ વખત બાલ મુની એ યાદ કરાવ્યું.. પણ દરેક વખતે તેમણે જુદા જુદા કારણ સર ક્ષમા માંગવી ટાળી... સાંજના સમયે જ્યારે તેમણે ફરી યાદ કરાવ્યુ ત્યારે ગુરૂદેવનો ગુસ્સો ગયો કે "કેમ વારે વારે યાદ કરાવો છો, મને સમજ નથી પડતી એમ માનો છો તમે??" અને દંડો ઉપાડી બાલ મુની ને મારવા દોડ્યા. બાલ મુની બચાવ માટે દોડ્યા... પાછળ ગુરૂદેવ... દોડતા દોડતાં રસ્તામાં થાંબલો આવ્યો... બાલ મુની ત્યાંથી આઘા ખસી ગયા અને ગુસ્સામાં અંધ બનેલા ગુરૂદેવને એ થાંબલો ના દેખાયો અને તેમનું માથુ થાંબલા સાથે અફળાયુ... ત્યાં જ તેઓ કાળ કરી ગયા... અને કોઈક નગરમાં માળી તરીકે જનમ્યા... ગુસ્સામાં મૃત્યુ પામ્યા હોવાથી આ ભવમાં પણ તે ભયંકર ક્રોધી બન્યા... તેમના બગીચામાં રમવા આવતા છોકરાઓ જ્યારે ફુલ તોડતા ત્યારે તેઓ લાકડી લઈને મારવા દોડતાં... આવી જ એક દોડા દોડી માં તેઓ કુવામાં પડીને મૃત્યુ પામ્યા... અને એક જંગલમાં ચંડકૌષીક નામના ભયંકર ઝેરી સર્પ બનીને જનમ્યા...

આ ચંડકૌષીકની વિશે એમ કહેવાય છે કે એ એટલો બધો ઝેરી સર્પ હતો કે તે જેની સામે જોતો એ બળી ને ભષ્મ થઈ જતો... એ પછી પક્ષી હોય, પ્રણી હોય કે મનુષ્ય... એની એક નજરથી જ તેઓ ખાક થઈ જતાં....

પ્રભુ મહાવીર ત્યારે આ પૃથ્વી પર વિચરતા હતાં... તેઓ આ જંગલમાં દાખલ થયા ત્યારે લોકોએ ખુબ વિનંતી કરી કે ત્યાં ના જાઓ... પણ પ્રભુ એ જ માર્ગે આગળ વધ્યા.... જ્યારે તેઓ ચંડકૌષિક સામે આવ્યા ત્યારે તેની નજરથી પ્રભુને કશું ના થયુ.. તેથી ચંડકૌષીકે પ્રભુને જમણા અંગુઠે દંશ માર્યો. તિર્થંકર પરમાત્માનો એક ગુણ એ હોય છે કે તેમના શરીરમાં સફેદ દુધ વહેતું હોય છે, લોહી નહી.. દંશ માર્યો ત્યારે પ્રભુના એ અંગુઠેથી સફેદ દુધની ધાર જોઈ અને સર્પ તેમને નમી પડ્યો... આમ તો દિક્ષા લિધા બાદ પ્રભુ કેવળજ્ઞાન ના મળે ત્યાં સુધી તેઓ મૌન જ રહે છે... પણ ત્યારે પ્રભુએ ચંડકૌષિક ને ત્રંણ શબ્દ કહ્યાં.... "બુઝ્ઝ બુઝ્ઝ ચંડકૌષિયા" એનો અર્થ થયો "ચંડકૌષિક કઈક સમજ, કઈક સમજ" આ શબ્દો સાથે ચંડકૌશીકને પોતાનો સાધુ ભવ યાદ આવે છે અને તેને પસ્તાવો થાય છે કે કાશ મે જો ત્યારે માફી માંગી લિધી હોત તો આજે મારે આટલા ઝેરી ના થવુ પડ્યુ હોય... આ પસ્તાવો કરતાં કરતાં તે પોતાના રાફડામાં એ રીતે ઉંધો ઘુસી જાય છે કે તેનું માથુ અંદર રહે અને બાકીનું શરીર બહાર રહે... લોકોને થાય છે કે આ સર્પ ભગવાનની વાણી સાંભળી ને કોઈ મહાત્મા બની ગયો છે... તેથી લોકો તેનો દુધ સાકર વગેરેથી અભિષેક કરે છે... દુધ સાકર વિગેરેને કારણે ત્યાં કિડીઓ ઉભરાય છે અને ધિમે ધિમે કરી એ સર્પને કરડવાનું ચાલુ કરે છે... પણ સર્પ તે દરેકને ક્ષમા આપતો જાય છે... જોત જોતામાં તેનું શરીર ચાળણી જેવું થઈ જાય છે... ત્યાં સુધી તેમાં પ્રાણ રહ્યા હોય છે અને ત્યારે પણ તે દરેક કિડીને ક્ષમા આપતો જાય છે અને પોતાને કારણે જે જે જીવો દુખી થયા હોય તે દરેકની ક્ષમા માંગતો જાય છે.. એમ કરતાં કરતાં તે પ્રાણ ત્યાગે છે અને દેવલોકમાં તે દેવ તરીકે ઉત્પન્ન થાય છે....

જોયું ક્ષમાએ એક ઝેરી અને હિસક સર્પને છેક દેવલોકમાં પહોચાડ્યો..

પ્રભુ મહાવીરે એ ગોવાળ ને પણ ક્ષમા આપી છે કે જેણે પ્રભુના કાનમાં ખીલા ઠોક્યા... પ્રભુ ધ્યાનમાં ઉભા હતાં ત્યારે પોતાના ઢોર પ્રભુ પાસે મુકી તે કામે ગયો... પ્રભુ ધ્યાનમાં હોય તેઓને બાહ્ય જગત વિષે કશુ ખ્યાલમાં નથી હોતું તો ગોવાળના ઢોર વિશે તો તેઓને શું ખબર હોય.. ગોવાળ કામ પતાવી આવ્યો ત્યારે ત્યાં ઢોર નોહતાં... તેથી એ શોધવા ખુબ રખડ્યો અને જ્યારે પાછો આવ્યો ત્યારે ઢોર ફરી ત્યાં જ બેઠા હતાં... ગોવાળને થયું કે આ તો મારી સાથે મજાક થઈ અને ગુસ્સામાં તેણે પ્રભુના કાનમાં ખીલા ઠોક્યા અને ખિલાનો જે ભાગ કાનની બહાર દેખાતો હતો તે ભાગ એણૅ કરવતથી કાપી નાંખ્યો... જેથી લોકોને ખબર ના પડે... ક્ષમા અને સમતાના મહાસાગર એવા પ્રભુએ તે ગોવાળને પણ માફ કર્યો... આ ખિલા જ્યારે કાઢવામાં આવ્યા ત્યારે ખુદ ભગવાનના મોએ થી એક તીણી ચિસ નિકળી ગયેલી....

એક પ્રસંગ ગોશાળા નામક સાધુનો પણ આવે છે જે પોતાને પ્રભુ તુલ્ય ગણાવતો અને જ્યારે પ્રભુ સામે આવ્યા ત્યારે પ્રભુને ભશ્મ કરવા તેણે તેજો લેશ્યા નામક વિધ્યાનો પ્રયોગ કરેલો.. પણ પ્રભુના પુણ્યબળે એ લેશ્યાએ પ્રભુની પ્રદક્ષિણા કરી ફરી ગોશાળાને જ બાળી નાખ્યો.. આવી લેશ્યા છોડનાર ગોશાળાને પણ પ્રભુએ ક્ષમા આપી...

આ તો થઈ પ્રભુ મહાવીરના જીવન પ્રસંગોની વાતો..

મુળ મુદ્દો એ છે કે માફી આપવાથી કે માંગવાથી કોઈ નાનુ નથી થઈ જતું... પણ હા... એ વ્યક્તિની મોટાઈ જરૂર દેખાઈ આવે છે... તમે માર્ક કર્યુ હશે કે ઘણીવાર માફી માંગવાથી કે આપવાથી ખુબ મોટા ઝઘડા ટળી જતાં હોય છે... દા.ત. તમે રસ્તે જતા હો અને કોઈનું સ્કુટર તમને અડી જાય ત્યારે તમારી ભુલ ના હોવા છતાં તમે સોરી કહી દેશો તો એવુ બને કે સામે વાળો ફક્ત સ્માઈલ આપીને નીકળી જાય અથવા એ પણ સોરી કહે... જો ત્યારે તમે એને દેખાડી દેવા બે-ચાર સુરતીઓ સંભળાવી દો તો કદાચ મોટો ઝઘડો પણ થઈ જાય... આવા તો અનેક પ્રસંગો તમારા જિવનમાં આવ્યા હશે... યાદ રાખશો વેરની સામે વેર વાળવું એ તાકાતની વાત છે, જ્યારે વેરની સામે માફી વાળવી એ તો જીગરની વાત છે... "ક્ષમા વિરસ્ય ભુષણમ" અમસ્તુ નથ કહેવાતું... ગાંધીજીએ પણ આ જ સંદેશો આપ્યો છે ને.. કોઈને માફી આપવાથી કે કોઈની પાસે માફી માંગવાથી સામે વાળી વ્યક્તીનો વેર ઓછો થઈ જાય છે અને આપણાં માટે પ્રેમ વધે છે...સામે વાળી વ્યક્તિને વાર કરવા દો તમે ફક્ત ક્ષમા આપો...

"ક્ષમાપના" વિશે તો ઘણું લખવા જેવું છે... ક્ષમા એ એક વજ્ર કરતાં પણ વધુ શક્તિશાળી હથિયાર છે... ક્ષમા નો એક ચમત્કાર એ છે કે એ ભલભલાને નમસ્કાર કરવા મજબુર કરે છે.. દુઃખી થવા માટેના ઘણા માર્ગો આ ક્ષમા બંધ કરી દે છે... પશ્ચાતાપ માનવીને પવિત્ર બનાવે છે અને ક્ષમા માનવીને મહાન બનાવે છે... જે અન્યને ક્ષમા આપી શકે છે એને દરેક જગ્યાએથી મા જેવુ વાત્સલ્ય મળૅ છે.... યાદ રાખજો કે શત્રુને આપવા જેવી કોઈ ઉતમ ચિજ હોય તો તે ક્ષમા છે... શત્રુ વેરથી વાળ્યો નહી વળે પણ ક્ષમાથી તરત નમી જશે...

ક્ષમામાં સંસ્કૃતી છે અને વેરમાં વિકૃતી છે.
ક્ષમા એ કમળ છે અને વેર એ વમળ છે.
ક્ષમામાં કબુલાત છે અને વેરમાં વકિલાત છે.
ક્ષમામાં મિલાપ છે અને વેરમાં વિલાપ છે.
ક્ષમામાં સર્જન છે અને વેરમાં વિસર્જન છે.

ક્રોધ એ જીવનને કરૂણ અંત તરફ લઈ જાય છે જ્યારે ક્ષમા એ દરેક પળમાં નવા જિવનનો ઉદય લાવે છે...

તો આવો મિત્રો.. આજે આપણે આપણા શત્રુઓને ક્ષમા આપીએ અને સામે તેમની ક્ષમા માંગીએ... "વેરથી વેર શમે નહી જગમાં.. પ્રેમથી પ્રેમ વધે જીવનમાં" એ ઉક્તીને અપનાવીએ...

ચાલો એકબીજાને કહીએ "મિચ્છામી દુકડ્ડ્મ"


=: સપન :=
૨૯.૦૮.૨૦૦૮

Wednesday, August 27, 2008

પ્રેમ મારૂ નામ, પ્રિત મારૂ કામ


પ્રેમ મારૂ નામ, પ્રિત મારૂ કામ
તુ મારી રાધા, હું તારો શ્યામ

ઊપવનમાં ના ખોજ મને ફુલોમાં ના શોધ
હું છું તારી આસપાસ, શોધને તારા શ્વાસ

જ્યા છે તારૂ દિલ, જ્યા ધડકનનો વાસ
શોધ મને ત્યાં, ત્યાં જ છે મારો વાસ

કહુ છું હું તુજને ખાસ, મારી વાતમાં કર વિશ્વાસ
ભુલીને હું સઘળા કામ, લગાવી બેઠો છું તારી આશ

પ્રીત બંધાણી તારી સાથ, દિલ જોડાણું તારી સાથ
આવે સપન તારા, જ્યારથી નયન લાગ્યા તારી સાથ

સપન
૨૨.૦૮.૨૦૦૮

અને હું જાગતો રહ્યો.....


શરૂઆતથી જ હું અંતને શોધતો રહ્યો
ના જાણે કેમ હું ખુદ ને ખોળતો રહ્યો?

પહેલાં જ કદમથી મે મંજીલને ઈચ્છી
મંજીલ ધ્યાનમાં રહી ને રસ્તા ભુલતો રહ્યો

વરસતાં વાદળમાં પલળવાની ઈચ્છા થઈ
વાદળ વરસી ગયું ને હું કોરો-સુકો જ રહ્યો

હસવાને ફેલાવ્યા જ્યારે મે હોઠો.
એક આંસુ આવ્યુ ને હું ગમ પીતો રહ્યો

લખવાને કવીતા ઉપાડી મે કલમ
શબ્દ મળ્યા મને, અર્થ હું ખોતો રહ્યો

આંખો મીચીને કરી જો યાદ એને
"સપન" ના આવ્યુ અને હું જાગતો રહ્યો

સપન
તા. ૨૧.૦૮.૨૦૦૮

Monday, August 18, 2008

આત્મ હત્યાની નિષ્ફળતાં

આપણા જગુભાઈ તો જીવનથી કંટાળી ગયા...

તનતોડ મહેનત કરી તેઓ પૈસા ઉભા કરે... એને પત્ની કિટી પાર્ટીમાં, છોકરો એની બેનપણીઓની ડેટ્સમાં અને છોકરી સાજ સણગારમાં પુરા કરી નાખે.... બચત થાય નહી અને તેમનો જીવ બળે.... જગુભાઈ પોતાના સંસારથી કંટાળી ગયા... અને વિચાર કર્યો આત્મહત્યા કરવાનો....

સૌથી પહેલા તેમણે કેરોસીનથી બળી મરવાનો વિચાર કર્યો.... અને ત્યાંથી એમની માટે ટ્રેજેડીભરી અને આપણી માટે કોમેડી ભરી કથાની શરુઆત થઈ....

કેરોસીનનો ડબ્બો લેવા એ જેવા ભંડકીયા(store room) નો દરવાજો ખોલ્યો કે તરત જ તેમની સામે એક ઉંદરડો દોડ્યો... અચાનક થયેલા ઉંદરના આક્રમણથી જગુભાઈ ડરી ગયા અને તેમના મોં માંથી એક તીણી ચીસ નિકળી ગઈ... થોડા સ્વસ્થ થયા એટલે એમણે ઉંદરને ગાળ આપી અને બોલ્યા : "કમ્બખ્ત ઉંદેરડા... કહીને એન્ટ્રી નથી પડાતી??? મને હાર્ટ એટેક આવી ગયો હોત તો!!!"

ભંડકીયામાં થોડા ખાખાખોળા કર્યા પણ એમને કેરોસીનનો ડબ્બો ના મળ્યો... એટલે તેઓ બહાર આવ્યા... ત્યાં અચાનક એમનું ધ્યાન ગયું કે કેરોસીનનો ડબ્બો તો બાથરૂમમાં પડ્યો છે... ચાલો છેવટે ડબ્બો મળ્યો... રસોડામાં જઈ એમણે એ ડબ્બો પોતાના ઉપર ઉંધો કરી દિધો... તો અંદરથી સાબુનું પાણી પડ્યુ... પત્યુ. ભિના થઈ ગયેલા એટલે એમના પર હવે આગ કામ કરવાની નહોતી... તેમણે કેરોસીનથી બળી મરવાનો વિચાર માંડી વાળ્યો....

પણ પાણી પરથી તેમને વિચાર આવ્યો કે અગર વિજળી ને તેઓ અડે તો મરી જાય... એટલે એમણે બાથરૂમમાં જઈ બાથટબ ભર્યુ અને તેમાં વાયરનો એક છેડો નાંખ્યો અને બીજો પ્લગમાં ભરાવ્યો... સ્વીચ ચાલું કરી જેવા તેઓ પાણીમાં બેસવા ગયા કે તરત લાઈટ જતી રહી... તેમને વિજળીનો નાનો એવો જાટકો પણ ના લાગ્યો... વિજ કંપનીને ગાળો દેતા તેઓ બાથટબની બાહાર નિકળ્યા અને આ રિતે મરવાનો વિચાર માંડી વાળ્યો...

પછી થયું કે પંખા પર લટકી ને મરી જાઊં.... વાઈફની સાડી લીધી પંખા પર બાંધી અને ગળે ફાંસો નાંખ્યો... જેવું પગ નિચેનું ટેબલ હટાવ્યુ કે તેઓ લટકી ગયા.. ગળા કરતાં ગાળ્યો મોટો થઈ ગયેલો એટલે જિવ પણ નિકળતાં નિકળતાં શરીરમાં જ લટકી ગયો... ઉપરથી પંખો જે કડામાં હતો તે લોખંડનો કડો પણ સડી ગયેલો... તેનાથી આ વજન સહન ના થયુ અને જગુભાઈની આત્મ હત્યાની સામે જાણે બળવો પોકારતો હોય તે રીતે બે ભાગમાં તુટી ગયો.. જગુભાઈએ પોતાના જ પગ નીચેથી સરકાવેલું ટેબલ આડુ પડ્યુ હતું... તેનાં પર જગુભાઈ, જગુભાઈ પર પંખો અને પંખા પર ઓલુ બળવાખોર કડુ પડ્યુ.... બિચારા જગુભાઈને ખુબ વાગ્યુ. પગ મોચવાયો, પાછળ ચોક્કસ જગ્યાએ ટેબલનો પાયો વાગ્યો અને માથા ઉપર પંખાએ લોહી કાઢ્યુ... પોતે હાડવૈદાના થોડા ઘણાં જાણકાર એટલે એમણે પગને ટાચકા ફોડી સીધો કર્યો... રૂમાલ લઈ માથાના ઘાવ પર બાંધ્યો.. પણ પાછળનો ઈલાજ ના થઈ શક્યો... મરવાની અડધી ઈચ્છા મરી પરવારી હતી....

ઉભા થયા અને કણસતાં કણસતાં સોફા પર બેઠા... સામે તુટેલો પંખો જોઈને એમણે કપાળ કુટ્યુ... "એક ઓર ખર્ચો વધ્યો... આ કરતાં તો હું રેલ્વે ટ્રેક પર સુઈ જાવ તો સારૂં." નવો આઈડીયા આવ્યો.. સાથે નવો જોમ આવ્યો... ઉભા થયાં અને તરતજ નજીકનાં રેલ્વે ટ્રેક પર ગયાં... થોડું એવું ટ્રેક પર ચાલી જલદી કોઈ આવે જાય નહી એવી જગ્યાએ ઉભા રહી ટ્રેનની રાહ જોવા લાગ્યા... થોડી જ વારમાં નજીકના સિગ્નલ પર ગ્રીન લાઈટ જોઈ અને દુર થી આવતી ફાસ્ટ ટ્રેન દેખાણી.. એ સાથે જ તેઓ ટ્રેક પર જઈને લાંબા થઈ ગયાં... ઝડપથી નજીક આવતી ટ્રેન જોઈને તેમના ધબકારા પણ વધવા લાગ્યા... ટ્રેન નજીક આવતી જાય છે... ૫૦૦ ફુટ.. ૪૦૦ ફુટ.. ૩૦૦ ફુટ.. ૨૦૦ ફુટ... ૧૦૦ ફુટ... અરે આ શું?? ટ્રેન માંડ ૫૦ ફુટ દુર હશે ને ટ્રેનનો ટ્રેક ચેન્જ થઈ ગયો... ટ્રેન ધબધબાટી બોલાવતી બાજુના ટ્રેક પરથી પસાર થઈ ગઈ અને જગુભાઈ એને આંખ ફાડી ને જોતા જ રહ્યા ને બોલ્યા : "હાય રે કિસ્મત!!! બસ હવે તો એક જ રસ્તો છે.. નદી માં ઝંપલાવી દઊં." ટ્રેક પર નજીકમાં નદી હતી એટલે ત્યાં ગયા ને તેમણે પડતું મુક્યુ.. પણ અહી પણ તેમની કિસ્મતે તેમનો સાથ છોડી દિધો... નદીમાં પાણી ફક્ત કમર સુધીનું જ ઉંડું હતુ... તેમને વાગ્યુ તો નહી પણ તેઓ ડુબ્યા પણ નહી... છેવટે એ વિચાર પણ માંડી વાળી ઘર તરફ ચાલવા માંડ્યુ...

ઘરે જઈને તેઓ વાડામાં ગયાં ને ત્યાં એમણે કુવો જોયો... એમને થયુ કે "આ વિચાર મને પહેલાં કેમ યાદ ના અવ્યો"... દોડી ને કુવામાં કુદી પડ્યાં... પડતાં પડતાં ધ્યાન ગયું કે કુવામાં તો પાણી જ નથી...

ત્યાર બાદ તેમણે પોતાને હોસ્પીટના ખાટલામાં પુરા શરીર પર પાટા પીંડી સાથે જોયા.. સામે બેઠેલા બૈરી છોકરાએ એમને પુછ્યુ કે કુવામાં કેમ કરતાં પડ્યા?? ત્યારે એમણે આપ વિતિ કહી... આ સાંભળી તેમનાં છોકરાએ તેમને તતડાવી નાંખ્યા... "શું બાપા આટલી હદે નિષ્ફળતાં હોય???"


-: સપન :-
૦૮.૦૮.૦૮

Wednesday, July 30, 2008

ત્રાસવાદ અંગે

મિત્રો,

પહેલાં નીચેના મુદ્દાઓ ધ્યાનથી વંચો...

(૧) હું જ્યાં રહું છું એ સુરત નો ગોપીપુરા એરીયા ચારે તરફથી મુસલમાન અને વચ્ચે જૈન તથા હિન્દુ વસ્તી ધરાવતો એરીયા છે. આમ છતાં પણ અહીના લોકો આ એરીયાને સુરતનો safest અરીયા કહે છે. આ જ એરીયામા‍ ૬૦ જેટલા જૈન દેરાસરો, હિન્દુ મિલન મંદીર જેવા ઘણાં મંદીરો અને મુસલીમ મસ્ઝીદો આવી છે. દરેક પ્રજા સાથે હળી મળીને રહે છે....

(૨) નજીકમાં જ આવેલું આલિપોર ગામ, જ્યાં એક પણ જૈન ઘર નથી, ફક્ત મુસલમાનો નું તે ગામ છે, છતાં એ જૈનોના પવિત્ર તિર્થ સ્થાનોમા‍ આવે છે. અને આ તિર્થને મુસલમાનો પોતાની પાક મસ્ઝીદ જેટલું જ સાચવે છે.

(૩) હાલમાં જ રીલીઝ થયેલી ફિલ્મ "આમીર" અગર તમે જોઈ હોય તો તમને ખ્યાલ આવશે કે આ ફિલ્મમા‍ મુસ્લીમ આતંકવાદને કેવો જોરદાર તમાચો મારવામા‍ આવ્યો છે, એ પણ એક મુસલમાન દ્વારા જ.....

(૪) મણીરત્નમની બોમ્બે ફીલ્મ રાજનૈતીક ત્રાસવાદ વિશે ઘણું કહી જાય છે... એ તો તમે જાણો જ છો...

(૫) કાશ્મીરના મુસલમાનો આજે પણ ભારતમા‍ જ રહેવા માંગે છે...

(૬) ભારતના મુસલમાનો પોતાને ભારતીય કહેવાનું ગર્વ ધરાવે છે....

(૭) સુરતના એવા વિસ્તારોમાંથી બોમ્બ મળી આવ્યા છે જ્યાં મુસલમાન દારૂગોળા સાથે પગ મુકતાં પણ ગભરાય... તો શું એ અનુમાન ના મુકી શકાય કે આ બોમ્બ કોઈ હિન્દુએ મુક્યા હોય એવુ પણ બને !!

(૮) હાલમા‍ જ મસ્ઝીદોમા‍ બોમ્બ ફુટવા એ ઘટના કઈ તરફ ઈશારો કરે છે??

ઉપરોક્ત મુદ્દાઓ પરથી હું એટલું જ કહેવા માંગુ છું કે દરેક મુસલમાન એ ત્રાસવાદી હોય એ જરૂરી નથી... તો દરેક હિન્દુ એ સીધો દોર હોય એ પણ જરૂરી નથી.... ત્રાસવાદ અને મુસ્લીમ ધર્મને કંઈ લેવા દેવા જ નથી.

હું એમ નથી કહેવા માંગતો કે ત્રાસવાદી હિન્દુ છે, મુસ્લમાન છે, સીખ છે..... પણ હું કહેવા માંગુ છુ કે ત્રાસવાદ એ ફક્ત હિંસક મગજની જ ઉપજ છે.

હવે આનાથી બચવાના ઉપાય....

સૌથી પહેલા તમારામા‍ દેશદાઝ અને માનવપ્રેમ હોવો જરૂરી છે. આ માટે તમારે ગમે તે સંજોગ માટે તૈયાર રહેવુ પડશે.. ગમે તે સમય સંજોગોમાં તમારા કદમ પાછા નહી પડવા જોઈએ... અગર તમારા ધ્યાનમા‍ કોઈ શંકાશીલ વ્યક્તી પ્રવૃત્તી, કે વસ્તુ ધ્યાનમાં આવે તો તુરંત જ પોલીસ ને જાણ કરો... ત્યારે જો તમે એમ વિચાર કરશો કે "પોલીસ મને હેરાન કરી નાખશે... મને જ આ બાબતે પહેલા જાત જાતની પુછ પરછ કરશે.. એવા બગાડવા માટે આપણી પાસે ક્યાં ટાઈમ છે?" તો યાદ રાખશો કે એક પણ બોમ્બ ફુટ્યો અથવા એક પણ મોત થયું તો...સૌથી પહેલા અને સૌથી મોટા ગુન્હેગાર આપ જ કહેવાશો...

સુરતની પ્રજાને આ બદલ દરેક જણે ધન્યવાદ આપ્યા છે કે જેમણે પોતાની જાનની પરવા વગર દરેક શન્કાશીલ વાતની જાણ પોલીસ ને કરી છે. એ જાણીને તમને નવાઈ લાગશે કે જાણકારી આપનાર કોઈને પણ પોલીસે હેરાન નથી કરી.... કે નથી તેમનો વધારે ટાઈમ બગાડ્યો... વરાછા, ત્રિકમ નગરમાં રહેતા ગીતાબેનને તો એક દિવસ રહેવા માટે પાંચ લાખની ઓફર અને ધમકી મળ્યા બાદ પણ તેમણે તેમનો સામનો કર્યો છે.....

આ જ બહાદુરી અગર આપણે સૌ કેળવી લેશું તો ત્રાસવાદીઓની હિંમત નથી કે આપણા દેશને જરા સરખું પણ નુકસાન કરી શકે....

બીજી વાત ખાસ કે ઝુનુન રાખો પરંતુ એટલું નહી કે કોઈ પણ પોતાના ધર્મ કે જાતી વિશે કાંઈ પણ બોલે તો છરા ચપ્પા લઈને ગલીઓ પર ઉતરી આવવું... બોલનાર તો બોલીને છટકી જશે અને આપણું ઝુનુન આપણા જ નિર્દોષભાઈઓનો ભોગ લેશે...

આવું તો ઘણું લખવા લાયક છે... સમયના અભાવે અહિં જ વિરમું છું....

આભાર સહ....

સપન...

Wednesday, July 9, 2008

તારા સપન જોઊ તો જાગતાં વર્ષોના વરસ લાગે
તને ભુલવા માટે તો જનમો ના જનમ લાગે

એક દીન તારે મને મળવુ જ પડશે, એ યાદ રાખજે
આ ઈન્તઝાર પુરો થતા, જનમો ના જનમ લાગે..

=:=: સપન :=:=
તા. ૦૯.૦૭.૨૦૦૮