Search This Blog

Sunday, August 23, 2015

૨૩-ઓગસ્ટ-૨૦૧૫

અનામત નો વિરોધ અને વિકલ્પ…

અનામત.. અનામત.. અનામત.. છેલ્લા કેટલાક સમય થી પાટીદારોના અનામત આંદોલન ને કારણે આ શબ્દ દિવસ માં લગભગ ૧૦૦ - ૧૫૦ વખત સાંભળવા મળે છે.  મને એ સમજાતું નથી કે આ અનામત ને એટલું બધું કેમ મહત્વ આપવામાં આવે છે. મને તો આ અનામત પ્રથાથી જ બહુ નફરત છે. સાચુ કહું છુ.. આ અનામત પ્રથાને ગંદા રાજકારણની એક વાહીયાત ઉપજ જ હું માનું છું. આ અનામત પ્રથાની શરૂઆત કોઈ સારા મક્સદ થી આ દેશમાં શરૂ કરવામાં આવી હતી પણ હવે તો એણે કેટલાય જીવનનાં ઉઠમાણા કરી દીધા છે. મોટી ભુલ તો હું એ માનું છું કે જ્યારે અનામત પ્રથા લાગું થઈ ત્યારે જ એના અંતનો દીવસ નક્કી કરી દેવો જોઈતો હતો.. જે ના થયો. મારા મતે આ અનામત પ્રથાનો હવે સદંતર અંત જ આવી જવો જોઈએ..

પહેલાં મને થતું કે સરકારી નોકરીઓમાં આટલી બધી જગ્યાઓ ખાલી હોવાં છતાં બીજી બાજુ બેકારી પણ કેમ વધી રહી છે? પણ આ અનામત આંદોલન ને કારણે સત્ય સામે આવ્યુ. ST, SC, OBC વગેરે ને કારણે જનરલ ને માટે ફક્ત ૨૦-૨૫ ટકા જ જગ્યા બચે છે. બાકીની ૭૫ - ૮૦ ટકા જગ્યાઓ ખાલી રહે તો ચાલે પણ જનરલ કેટેગરીનો વ્યક્તી તેમાં અપ્લાય પણ નથી કરી શક્તો. જ્યારે અનામત કેટેગરીનો વ્ય્કતી વધુ ટકા સાથે જનરલ કેટેગરીમાં અપ્લાય કરી શકે છે. પરીણામે.. જગ્યાઓ ખાલી ની ખાલી… ખાલી જગ્યાઓ પુરાતી નથી અને બેકારી ઘટતી નથી.

રાજસ્થાનમાં ગુર્જરોનાં આંદોલનનું શુ થયું? બહુ ગાજ્યુ હતું એ આંદોલન. ગુર્જરોને પાંચ ટકા અનામત પણ મળી. પણ પછી?? હાઈકોર્ટે એના પર સ્ટે મુકી દીધો. થોડું ઓછું જાણીતું જાટ પ્રજા માટે અનામત. એની પણ એ જ હાલત. સુપ્રીમ કોર્ટ દ્વારા જાટ પ્રજાને આપેલો ક્વોટા કેન્સલ કરાયો.. પાટીદારોનાં આંદોલન પછી પણ આવું જ થશે તો? અને હજી તો પાછળ બ્રાહ્મણ, ક્ષત્રીય અને સીંધી જેવા સમાજ પણ આવા આંદોલન માટે તૈયાર ઉભા જ છે.  આવા આંદોલનો થી બીજુ કાંઈ થાય ના થાય પણ રાજકારણ ના તળાવમાં નવા મગરો જરૂર ઉતરી આવે છે.

એક ખાસ વાત.. હું પોતે લઘુમતી નો દરજ્જા વાળી જાતીમાં અને અનામત વાળી કેટેગરીમાં આવું છું પણ મને આ પ્રથા દીઠે ગમતી નથી. આ રીતની ખોટી અનામત પ્રથા એ દેશની પ્રજાનું જીવન ધોરણ સુધારવાં કરતાં દેશનાં અર્થતંત્રનું ધનોત પનોત કાઢવાની મોટી ચાવી છે. સવાલ થતો હશે “કેમ?” અને થવો પણ જોઈએ. જવાબ શોધશો તો જાતે જ મળી જશે. ચાલો સમજાવું… અંગ્રેજો જે ભાગલા પાડો અને રાજ કરોની નીતી અપનાવતા હતાં એ જ નીતીની બીજી ચાલ એટલે અનામત. આ પ્રથા એ બે જાતીઓ ને એક બીજાથી અલગ પાડવાનુ અને એક બીજીથી લઘુ કે ઉત્તમ કહેવાનું આ રાજકારાણી બહાનું છે. જ્યારે એક જાતીનો છોકરો ઓછા માર્ક સાથે આગળ વધી જાય અને બીજી જાતીનો છોકરો વધુ માર્ક સાથે પાછળ રહી જાય ત્યારે કેવું થાય? પાછળ રહી ગયેલા છોકરા પ્રત્યે અને તેની જાત પ્રત્યે દ્વેષ બંધાય… જે આગળ જતાં કોમવાદ ને વધુ જગાવે છે. બીજું.. જ્યારે કોઈને સરળતાથી રોટલો ખાવા મળતો હોય તો તે મહેનતથી દુર ભાગે છે. કોઈ પણ અનામત વાળી વ્યક્તીને એટલું તો થશે જ “કે બસ એપ્લીકેશન કરવા જેટલા માર્ક આવી જાય.. વધારે માર્ક લાવવા માટે મહેનત શું કામ કરવી? એડમીશન કે નોકરી તો મળી જ જવાની છે ને.. અનામત ના જોરે..” કહેવાનો અર્થ એ કે આ પ્રથા જે તે નાગરીકના મનમાં આળસ ઉમેરે છે.. કામ કરવાની લગનીથી એને દુર કરે છે.. અને આ માનસીકતા તેને વધુ નવરો બનાવે છે.. અને નવરો નખ્ખોદ વાળે એ કહેવત મુજબ તે આગળ જતાં ગુનાહીત પ્રવૃત્તીમાં સક્રીય બને છે. આ જ માનસીકતા ને કારણે જે તે જાતીની ઉત્પદક્તા ઘટે છે અને જે દેશની ઉત્પાદક્તામાં પણ ઘટાડો થાય છે અને દેશનું અર્થતંત્ર ધીરે ધીરે ખાડામાં જાય છે.  

આ લખતાં લખતાં એક ઓર વાત સમજ માં આવી.. આ અનામત પ્રથાને કારણે ગુનાહીત પ્રવૃત્તી પણ વધવાની શક્યતાઓ વધી જાય છે. જેને સરળતાથી એડમીશન કે નોકરી મળી જાય તે આળસ અને નવરાશ ને કારણે ગુનેહગાર બની શકે છે અને જેને મહેનત કરવાં અને સારા માર્ક લાવવાં છતાં એડમીશન કે નોકરી નથી મળતી તે દ્વેષ, ઈર્ષ્યા અને બેરોજગારીને કારણે ગુનાહીત પ્રવૃત્તી તરફ આગળ વધી શકે છે.

અનામત પ્રથા પર મે ગુસ્સો બહુ ઠાલવ્યો. હવે વાત કરીએ અનામત પ્રથા નો વિકલ્પ શું? પહેલાં તો મારે એ જ કહેવું છે કે નોકરીઓમાં સ્ત્રી અનામત સીવાય ની દરેક અનામત કાઢી નાખવી જોઈએ. સમાન ભારતીય નાગરીકત્વને પ્રોત્સાહન આપવું જોઈએ. કોઈ પણ નાગરીક હોય…. એ ચાહે કોઈ પણ જાતી કે ધર્મનો હોય…એ સૌથી પહેલાં ભારતીય હોય. એને એડમીશન અને નોકરી એની આવડત ના આધારે જ મળે. પરીક્ષામાં મેળવેલ ગુણ ને આધારેજ એને આગળ વધવા મળે. હવે માનો કે કોઈ એવું હોય કે જેના માર્ક્સ તો સારા આવ્યા છે પણ તેનું કુટુંબ તેને આગળ ભણાવી શકે એવી સ્થીતીમાં નથી તો શુ? એના રસ્તા તરીકે જે તે વિદ્યાર્થીના વાલીની આર્થીક આવક ને આધારે સ્કોલરશીપ મળે. અને આ આવક ઈન્કમ ટેક્ષ રીટર્ન ના આધારે જ નક્કી થાય. (આવકના દાખલાને આધારે નહી) હા… અહીં ફક્ત ભણતર માટેની સ્કોલરશીપ મળશે… નોકરી તો નહી જ… નોકરી મેળવવા તો એણે પરીક્ષામાં ફરજીયાત પણે સારૂં પરફોર્મન્સ આપવું જ પડશે. નોકરી તો મેરીટ ને આધારે જ નક્કી થશે… આને કારણે દેશને અને દેશના અર્થતંત્રને તો ફાયદો થશે જ સાથે સાથે દેશના નાગરીકોનું શૈક્ષણીક સ્તર પણ ઉંચું આવશે. જેને ભણવું છે તે વધુ મહેનત કરી વધુ સારા માર્ક્સ લાવશે જેથી તેને વધુ સારી સ્કોલરશીપ મળી શકે. અને જેને સારી નોકરી જોઈએ છે એ પણ વધુ મહેનત કરશે જેથી ઉંચા મેરીટને કારણે તે અટકી ના પડે. સરકારી નોકરીઓમાં સારા અને ઉચ્ચ ગુણવત્તા વાળા નાગરીકોની ભરતી થશે જે પોતાની ગુણવત્તાને કારણે દેશને આગળ લઈ જશે. ઈન્કમ ટેક્શ રીટર્ન ને આધારે જ સ્કોલરશીપ મળશે એટલે દરેક નાગરીક ઈન્કમ ટેક્ષ ભરવા પ્રેરાશે જે દેશની અર્થવ્યવસ્થામાં સુમેળ સાધશે.

મને ખબર છે કે આમ અચાનક અનામત હટાવી લેવાથી વિરોધનો વંટોળ ફુંકાશે. પણ અત્યારે એ ક્રાંતીની તાતી જરૂરીયાત છે. અને કોઈ પણ ક્રાંતી કોઈ મોટા વિરોધ વગર થઈ જ નથી. આ તો મારો મત મે અનામત વિશે પ્રસ્તુત કર્યો છે. જે મારી વાત સાથે સહેમત હોય તે અને જે સહેમત ના હોય તે પણ મને તેમના મત જરૂર કહેજો..

સપન : ૨૩.૦૮.૨૦૧૫

Saturday, April 18, 2015

એક નવી શરૂઆત



અત્યારે બપોરે સવા એક વાગ્યા આવ્યા હતાં. સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી મી એન્ડ મમ્મી હોસ્પીટલ જવા ઓફીસેથી નીકળેલાં વિનયના પગ જાણે કોઈએ સો ઘોડાનું બળ પુરી દીધું હોય એમ દોટ મુકી રહ્યા હતાં. તેની અંદર ઉછળતા આનંદને એ કોઈ પણ રીતે દાબી શકતો ન હતો. આનંદ હોવો સ્વભાવીક હતો.

આજ સવારે એના બોસ નયનભાઈ ઓફીસમાં અવ્યા, મંદીરમાં માથુ નમાવ્યુ અને પોતાની કેબીનમાં જઈ રીવોલ્વીંગ ચેર પર બેઠા કે તરત જ વિનય અંદર અત્યંત ઉત્સાહ સાથે ધસી અવ્યો હતો. ’મે આઈ કમ ઈન સર’નો વિવેક પણ આજે એણે જતો કર્યો હતો અને સીધો જ મુદ્દાની વાત પર આવી ગયો હતો. "સર મારે આજે ફોન આવે તો કદાચ ઓફીસ છોડીને નીકળી જવું પડશે. તમને તો ખબર જ છે કે..." એ આગળ બોલે એ પહેલાં જ એને રોકીને નયનભાઈ બોલ્યા હતાં.. "મને બધી ખબર છે. આ માટે તારે મને પુછવાનું ના હોય. જતો રહેજે." 

"થેન્ક્યુ સર" પોતાને ખબર જ હતી કે નયનભાઈ ના નહી પાડે એટલે મન માનીતો ઉત્તર આપવા માટે એણે નયનભાઈ નો આભાર માન્યો. એની માએ સમજાવ્યું હતું કે આપણી કુળદેવીની આળ મુજબ ડીલીવરી સમયે બાળકના પીતાએ એ સ્થળે હાજર ના રહેવું જોઈએ. એટલે એ આજે ક-મને ઓફીસે આવ્યો હતો. આમ જુઓ તો ઓફીસે ફક્ત એનું શરીરજ આવ્યું હતું બાકી એનું મન, આત્મા અને વિચારો તો હોસ્પીટલનાં જ આંટા મારી રહ્યા હતાં. 

સામાન્ય રીતે કોઈપણ મીટીંગ દરમ્યાન મોબાઈલ સાથે રાખવા પર વાંધો ઉઠાવનાર નયનભાઈએ આજે વિનય મોબાઈલ લઈને કોન્ફરન્સ રૂમમાં આવ્યો છે એ જોયું છતાં વણદેખ્યુ કરી દિધું. બીઝનસ ડેવેલપમેન્ટ માટે ની એ મીટીંગમાં વિનયનું મન મીટીંગમાં ઓછુ અને મોબાઈલ ની રીંગ ક્યારે વાગે એમાં જ હતું. ખાતરી હોવા છંતા થોડી થોડી વારે પોતાનો મોબાઈલ શર્ટના ખીસામાંથી કાઢી અનલોક કરતો અને ચેક કરી લેતો કે કોઈ વ્હોટસએપ મેસેજ, એસ એમ એસ કે મીસ કોલ તો નથી આવ્યો ને. વિનયને ખ્યાલ નહોતો કે તેની આ ચેસ્ટા નયનભાઈની અચુક નજરમાંથી બીલકુલ છુપી નહોતી. નયનભાઈ પણ આજે વિનયને ટોકીને તેના ઉત્સાહને ઓસારી દેવા નહોતા માંગતા. તેઓ ખુબ સારી રીતે જાણતાં હતાં કે આજનો દિવસ વિનય માટે કેટલો અગત્યનો છે. 

બપોરે બરાબર એક વાગે વિનયના મોબાઈલની રીંગ વાગી.. રીંગ વાગી એટલે એણે તરત જ એકદમ ઉત્સાહથી મોબાઈલ ખીસામાંથી કાઢ્યો ત્યાં જ તેને ભાન થયું કે એના સાથીદારો અને નયનભાઈ એને જોઈ રહ્યાં છે. એને તો એમ જ કે નયનભાઈ મીટીંગમા મોબાઈલ લાવવા બદલ એને ઠપકો આપશે પણ નયનભાઈ એ કાંઈક જુદું જ ઉચ્ચાર્યુ. "ડીયર.. ફોન ઉપાડ. અરે અમને પણ ખુશ ખબરી જાણવાની બહુ બધી ચટપટી છે" સાંભળી ને વિનય ગેલમાં આવી ગયો અને મોબાઈલની સ્ક્રીન પર જોયું તો સીમ્પલ નું નામ તેનાં પર ચમકી રહ્યુ હતું. તરત જ ફોન ઉપાડી તે બોલ્યો.. "જલ્દી બોલ બેના.." પોતાના થી બે વર્ષ નાની બહેન સીમ્પલ ને મોટેભાગે એ બેના કહી ને જ બોલાવતો. સામે સીમ્પલ પણ જાણે તેને તડપાવવા માંગતી હોય તેમ બોલી... "જલ્દી બલ્દી કાંઈ નહી.. પહેલા બોલ. તને સૌથી પહેલાં હું ખુશ ખબર સાંભળાવું છું.. તો મને ઈનામમાં શું મળશે?" 

બેન ની આ ચાલાકી પર વિનયને પહેલાં તો ચીડ બળી પણ પછે તરત જ એણે મનને સમજાવી લીધું કે આજે તો બેન નો આ હક કહેવાય. તે તરજ બોલ્યો.. "તને જે જોઈએ તે મળશે બસ.."
વિનયનો આ જવાબ સાંભળી નયનભાઈ સમજી ગયાં કે બેન ભાઈને ચીડવી રહી છે એટલે એમનાથી થોડુ મલકાઈ જવાયું. સામે છેડે સીમ્પલને મનગમતો જવાબ મળ્યો એટલે તરત જ બોલી.. "એમ નહી.. વચન આપો"

"આપ્યુ વચન. તને જે જોઈએ તે મળી જશે."

"તો સાંભળ ભાઈ... તારે ઘરે આજે બપોરે બરાબર બારને ઓગણ ચાલીસ ના વિજય મુર્હતે લક્ષ્મીજી એ પગલાં કર્યા છે." 

ફોન પર આટલું સાંભળતાની સાથે જ વિનય સ્થળ કાળનું ભાન ભુલીને જોરથી ઉછળી પડ્યો હતો.. "યસ્સ્સ.. સીમ્પલ.. તારૂં ઈનામ પાક્કું.. પણ કહે તારા ભાભી કેમ છે?" 

"ભાભી પણ એકદમ સારા છે. બસ અહીં તમે આવો એની રાહ જોવાઈ છે." શબ્દો સાથે સીમ્પલના શબ્દોનો ઉત્સાહ પણ વિનયના કાને અફળાયો" 

"ભલે.. હું હમણાં જ નીકળું છું." કહેતાં કહેતાં તેના ગળે ખુશી નો ડુમો ભરાઈ ગયો જે સામે છેડે સીમ્પલ થી છુપો નહોતો રહ્યો. ફોન મુક્તાં જ એ ફરીથી ઉછળીને પોતાની ખુશી વ્યક્ત કરવા જતો હતો પણ ત્યાં જ એને ભાન થયું કે તે એકાન્તમાં નહી પણ ઓફીસની કોન્ફરન્સ રૂમમાં ઉભો છે. એણે નયનભાઈ સામે જોયું તો તેમનાં ચહેરા પરનું સ્મીત જોઈને એ થોડો શરમાઈ ગયો. 

"ભાઈ.." જાણે એની દ્વીધા સમજી ગયાં હોય તેમ નયનભાઈ બોલ્યા "અમને પણ જણાવ એટલે અમે પણ તારી સાથે ઉછળીને અમારી ખુશી વ્યક્ત કરી શકીએ" ત્યારે એને ખ્યાલ આવ્યો કે સીમ્પલ પાસેથી એ ખુશ ખબર સાંભળ્યા અને ઉછળ્યો ત્યારે એ સ્થળ કાળનું ભાન સાવ ભુલી ગયેલો...

"સર.. ઇટ્સ અ બેબી ગર્લ." આંખમાં હર્ષનાં આંસુ સાથે એણે નયનભાઈને કહ્યું."બરાબર વિજય મુર્હતે લક્ષમીજી અવતર્યાં." અને તરત જ આ ખુશ ખબરને કોન્ફરન્સ રૂમમાં ઉભેલી દરેક વ્યક્તીએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી. સૌથી પહેલાં નયનભાઈ વિનયની નજીક આવ્યા અને એને ગળે લગાડીને અભીનંદન આપ્યા અને ત્યાર પછી દરેકે વિનયને અભીનંદન આપ્યા. આ ઔપચારીકતા પુરી થવાનીજ રાહ જોતાં હોય એમ નયનભાઈ બોલ્યાં... "જા વિનય. તારે તો હવે જલ્દી હોસ્પીટલ પહોંચવુ જોઈએ.." 

જાણે આ વાક્યની જ રાહ જોતો હોય તેમ "થેન્ક્યુ સર.. હું નીકળું છું." બોલી પોતાની બેગ ઉપાડી ને હોસ્પીટલ તરફ દોટ મુકી. કોન્ફરન્સ રૂમની બાહર નીકળતાં એની પીઠ પર નયનભાઈ ના શબ્દો અફળાયા "ત્રણ ચાર દિવસ ઓફીસ ના અવાય તો ચીંતા ના કરતો દિકરી સાથે સારો એવો સમય વિતાવજે" આ સાંભળીને વિનયને આભાર વ્યક્ત કરવાનો વિચાર આવ્યો પણ દિકરીને મળવાની તાલાવેલીથી ભરાયેલા મને તેનાં પગને પાછા વળવા દિધા નહી. 

*****
સપન : ૧૭.૦૪.૨૦૧૫ : બપોરે ૪ ને ૩૬ કલાક
*****

Monday, February 6, 2012






બસ અમસ્તો આંટો માર્યો આજે એ ગલીઓમાં
બધુ એ નુ એ જ હતું.. બસ.. કોઈ નહોતું...


~ સપન ~
૦૪.૦૨.૧૨

Thursday, January 26, 2012

જ્યારે મનનું ધાર્યું ન થાય ત્યારે…


જંગલમાં ત્રણ ઝાડ વાતે વળગ્યાં. પહેલું કહે : ‘મારે તો એવો કબાટ બનવું છે, જેમાં દુનિયાની સૌથી કીમતી વસ્તુઓ રહે અને મારા દરવાજા પર સુંદર કોતરણી હોય. બીજું ઝાડ કહે : ‘હું ઈચ્છું કે મારા લાકડામાંથી એવું જહાજ બને જેમાં મોટા-મોટા રાજારાણી દરિયાઈ સફર ખેડે.

ત્રીજું બોલ્યું : ‘હું તો એટલું ઈચ્છું કે મારી ઊંચાઈ એટલી વધે કે અહીં ટેકરી પર મને આભને આંબતું જોઈને લોકોને લાગે કે આહા ! આ વૃક્ષ તો છેક આકાશને, ઈશ્વરને આંબે છે.

થોડા દિવસોમાં ત્રણ કઠિયારા આવ્યા. પહેલું વૃક્ષ જોઈને કઠિયારો બોલ્યો : આ મજબૂત છે. એમાંથી હું ઘાસ રાખવા માટેની ગમાણ બનાવીશ, એમ કહીને એણે પહેલું વૃક્ષ કાપ્યું. બીજા વૃક્ષને કાપવા આગળ આવેલો કઠિયારો બોલ્યો : આમાંથી હું નાનકડી હોડી બનાવીશ. ત્રીજા વૃક્ષને જોઈને ત્રીજા કઠિયારાએ કહ્યું : આ કંઈ ખાસ કામનું નથી, છતાં હું એનું લાકડું રાખી મૂકીશ.

ત્રણેય ઝાડ કપાયાં. ત્રણેય દુ:ખી થયાં. એમના ધાર્યા પ્રમાણે કશું ન થયું પણ ઘાસ રાખવાની ગમાણ બનેલા ઝાડ પાસે એક દિવસ એક સ્ત્રી-પુરુષ આવ્યાં, એમની પાસે તાજું જન્મેલું બાળક હતું. બાળકને ગમાણમાં ઘાસ પર રાખવામાં આવ્યું. તરત ઝાડને સમજાયું : ઓહ ! મારી ગોદમાં સૂતેલું આ બાળક તો આખી સૃષ્ટિની સૌથી મુલ્યવાન વ્યક્તિ છે. કબાટ બનીને મુલ્યવાન વસ્તુ સંઘરવા કરતાં મુલ્યવાન વ્યક્તિને પોતાની ગોદમાં રાખીને એ ઝાડ ધન્ય ધન્ય થયું.

થોડા વર્ષો બાદ, બીજા ઝાડમાંથી બનેલી હોડી મઝધારમાં હતી ત્યારે ભયંકર તોફાન આવ્યું. હોડી ઊંધી વળી જાય તેવી સ્થિતિ હતી. એ વખતે હોડીમાં સૂતેલા યુવાને ઊભા થઈને કહ્યું : ‘શાંતિ…શાંતિ…’ અને વાવાઝોડું શાંત થઈ ગયું. હોડી બનેલા વૃક્ષને સમજાઈ ગયું કે એ ઉતારુ બહુ મહાન આત્મા હતો.

મહારાજા અને મહારાણી કરતાં પણ મોટો માણસ હતો. ઝાડને પોતાનું જીવન ધન્ય થતું લાગ્યું. ત્રીજા ઝાડના લાકડાના ટુકડા કરીને તેને એ ટુકડા એમ જ અમસ્તા રાખી મૂકવામાં આવ્યા. એક દિવસ એના બે ટુકડાને ઊભા-આડા જોડીને એમાંથી ક્રોસ બનાવાયો.

એક યુવાન એ ક્રોસ ઊંચકીને ટેકરી પર ગયો અને તેને એ વધસ્તંભ સાથે જડી દેવામાં આવ્યો. ત્રીજા વૃક્ષને સમજાયું કે ટેકરી પર, ઈશ્વરની નજીક પહોંચવાની તેની ઈચ્છા પૂરી થઈ હતી.

બોધ : જ્યારે તમારું ધાર્યું ન થાય ત્યારે ધીરજ રાખજો અને સમજી લેજો કે ઈશ્વરે તમારા માટે ઘડી રાખેલી યોજના પ્રમાણે જ બધું થઈ રહ્યું છે.
Courtesy : Anonymous

Friday, January 13, 2012

મૃત્યુ નો મલાજો...






સ્ટ્રેચર પરથી ઉંચકીને પથારી પર સુવાડતા સુવાડતા સીસ્ટર જ્યોતી બોલી “લ્યો તમારો દિકરો આવી ગયો.”

રમણિકલાલના હ્રદયમાં ઉંડે ઉંડે પડઘા પડવા લાગ્યા કે દિકરો આવી ગયો.

માંડ માંડ આંખો ઉચકવાનો નીરર્થક પ્રયત્ન પણ તે ઉડુ ઉડુ થતા ખોળીયાઍ કરી જોયો. હાથ થોડા ઘણા ફરકયાં.

આવેલા દિકરાઍ પણ હાથમાંની બેગ બાજુમાં મુકીને બેવ હાથ વડે ખુબજ હેતથી રમણીકલાલના હાથ પકડી લીધા….

જ્યોતી સીસ્ટરે ડોકુ ધીમેથી હલાવીને હવે વધુ સમય નથી નો મૌન સંદેશો દિકરા સુધી વગર શબ્દે પહોંચાડ્યો.

રમણીકલાલના મોં પર આજે દસ દિવસે કઈક નવો સંતોષ હતો !

લગભગ બે કલાક સુધી આમને આમ દિકરા અને બાપ વચ્ચે એકપણ શબ્દ વગર ખુબ બધી ચર્ચા થઇ…

બન્ને માંથી કોઇ હલ્યુ નહિ.

રાત્રીના હવે અગીયાર વાગ્યા હતા.

વોર્ડમા હવે છુટાછવાયા ઉધરસ અને ઉંહકારા સીવાય શાંતી હતી.

બાપનો હાથ પકડીને કયારનાય બેઠેલા દિકરાને જોઇ સીસ્ટરે દિકરાને પણ બહારના બાંકડે જઇ આરામ કરવાની સલાહ આપી.

દિકરાઍ ફકત ડોકુ ધુણાવ્યુ અને ફરી પાછૉ ઍક હાથે પકડેલ બાપના હાથને બીજા હાથે પ્રેમથી પંપાળતો રહ્યો.

લગભગ બે કલાક બાદ અચાનકજ એક નાનકડો પણ કંઇક જુદોજ અવાજ સંભળાયો અને દિકરાના હાથમા પકડેલ બાપનો હાથ નીર્જીવ બની ગયો.

દિકરાઍ નર્સને બોલાવી. બધાને આ સમય આવવાનો છે તેની જાણ હતી.

કંપાઉન્ડરો યંત્રવત રીતે રમણીકલાલના અચેત શરીર પરથી ઓકસીજન માસ્ક અને બીજા યંત્રો દુર કરવા માંડ્યા.

જયોતિ સિસ્ટરે માનવતા બતાવતા દિકરાના ખભે હાથ મુકિને કહ્યુ,

“જે થાય છે તે ઇશ્વર ભલા માટેજ કરે છે.ઘણા વખતથી ઍકલા ઍકલા રીબાતા હતા. ભગવાન ઍમની આત્માને શાંતી આપે. આમતો ઘણા સારા માણસ હતા”

પાછળ ફરીને તે બોલ્યો,

“લાગ્યુજ કે કોઇ સારા માણસ હતા. આ કોણ હતા?”

સીસ્ટર આશ્ચયમા પડી ગઇ અને બોલી,

” શુ વાત કરો છો? આ તમારા પીતા હતા.”

ખુબજ સ્વસ્થતાથી પેલાઍ જવાબ આપ્યો,

“ના હું ઍમનો દિકરો નથી. મારા પિતાજી મારા ઘરે છે. પણ, હા હું આ કાકાના દિકરા જેવો થોડો ઘણો દેખાતો હોઇશ !

હુ તો અહી હોસ્પીટલના ઓપરેશન થીયેટરનુ જનરેટર ઇમરજન્સીમા ઠીક કરવા રાતે આવ્યો હતો…

હુ ત્યાંથી બહાર આવ્યો અને રીસેપ્શન પર મારુ નામ કહ્યુ ત્યારે આપ મને અહી લઇ આવ્યા !

પહેલા મને લાગ્યુ કે આપ મને ચેક આપવા ડોકટર સાહેબ પાસે લઇ જાવ છો પણ ત્યાં તો આપે મારી ઓળખ આ કાકાને તેમના દિકરા તરીકે કરાવી.

ખબર નહી કેમ! પણ, મને થયુકે મને જેટલી મારા ચેક ની જરુર છે તેના કરતા આ કાકાને મારી વધારે જરુર છે.

ઉંમર અને માંદગીના સમન્વયે કદાચ તેમણૅ પણ મને તેમનો દિકરો માન્યો !

તમે નહી માનો સીસ્ટર પણ મે છેલ્લા ચાર પાંચ કલાકમાં આ માણસ સાથે કંઇ કેટલીય વાતો મૌનથી કરી….

ચાલો ,આજે મરનાર વ્યક્તિના ચહેરા પર રમતા સંતોષના છેલ્લા સ્મીત બનવાનુ સદભાગ્યતો ઇશ્વરે મને આપ્યુ !

ડોકટર સાહેબને કહેજો… મારો ચેક ન બનાવે અને બની શકે તો તેમાથી આ કાકાનુ બીલ ભરી દે !”


આમ બોલીને બે હાથ જોડીને રમણીકલાલના શબને પ્રણામ કરી બેગ લઇને તે યુવાન ચાલતો થયો….

ઍક અજબ આશ્ચય સાથે જયોતી સિસ્ટર ઍને રોકવા જાય ત્યાં તેની નજર રમણિકલાલના નીર્જીવ શરીર પર પડી ત્યા બધું જ મૃત્યુ પામેલુ !! ફકત જીંવત હતુ તો પેલુ “સંતોષનુ સ્મીત“……….



સૌજન્ય : મેહુલભાઈ રાવલ via  - Facebook