Search This Blog

Friday, September 17, 2010


ટ્રેનમાં ત્રણ વ્યક્તિ વચ્ચે ઝઘડો થયો..
પહેલો કહે ગુજરાતી જ છે ગુણવાન
બીજો કહે મરાઠી હી મહાન આહે
ત્રીજો કહે અરે બાબુમોશાઈ..
ભાલો તો ફોક્ત બંગાલી.
આ જોઈને એક મુંગો
અવાજ વગરનું
હસતો જ રહ્યો
હસતો જ રહ્યો

:: સપન ::
૧૮.૦૯.૨૦૧૦

Saturday, September 11, 2010



લ્યો, ફરી આવી ગયો સંવત્સરીનો મહાપર્વ...

ક્ષમાપનાનો ઉત્સવ...

આ સંપુર્ણ વર્ષ દરમ્યાન મારા થકી અગર આપને કોઈ મનદુ:ખ થયુ હોય.. અથવા તો જાણતાં અજાણતાં આપના દિલ - આત્માને મે ઠેસ પહોંચાડી હોય તો આજના આ સંવત્સરી મહાપર્વ નિમેત્તે આપ સૌની હું હ્રદય પુર્વક ક્ષમા ઈચ્છું છું....

|| મિચ્છામી દુકડ્ડ્મ ||

Saturday, August 14, 2010

UFO... ઊડતી રકાબી....

સુર્યની અગન જ્વાળાઓમાંથી બનેલું સૌરમંડળ... સુર્યની પરીક્રમા કરતાં નવ ગ્રહ... એ ગ્રહની પરીક્રમા કરતાં ઉપગ્રહ.. એમાંથી એક આપણી આ પૃથ્વી.... અને એનો ચંદ્ર... આખા સૌરમંડળમાં ફ્ક્ત પૃથ્વીને પાણી મળ્યાની વાત..

ત્યારબાદ પાણીમાં પાંગરેલું પ્રથમ જીવ... ત્યાંથી આગળ જતાં બની પાણીની અંદરની જીવસૃષ્ટી... ધીમે ધીમે અમુક જીવો પાણીની બહાર આવ્યા.. જમીન પર પહેલું જીવ અવતર્યું... આગળ જતાં વાંદરાનો જન્મ થયો... વાનરની સુધારેલી આવૃત્તી એટલે માનવ...

માનવીને કુદરતે આપી બુદ્ધી.... શ્રેષ્ઠ બુદ્ધી... એ બુદ્ધીના જોરે શોધની શરૂઆત થઈ... ચક્ર.. અગ્ની.. કાગળ... ઈલેક્ટ્રીસીટી... બોમ્બ.... કોમ્પુટર.. મોબાઈલ... ઈન્ટરનેટ... આ થયો આપણો ઈતીહાસ...

પણ આ સંપુર્ણ વિકાસ દરમ્યાન માનવીને અથથી ઈતી સુધી એક સવાલ હંમેશા સતાવતો રહ્યો... શું અમારૂં એક જ ઘર છે ?? પૃથ્વી... અને ફક્ત પૃથ્વી જ.... ના અમારે તો બીજું ઘર પણ જોઈએ... શોધ શરૂ થઈ બીજા ગ્રહની.. ત્યાંના રહેવાસીઓની..

પરીણામ રૂપે આવ્યા દુરબીન... ટેલીસ્કોપ.. રોકેટ.. સ્પેશ શટલ.. શ્પેશ શીપ.. કુદરતી ઉપગ્રહને રેસ આપતો કુત્રીમ ઉપગ્રહ... અને હવે.. સ્પેશ સ્ટેશન.. સફર કરી આવ્યા ચંદ્રની અને મોકલી દિધા આપણા મશીનોને મંગળ સુધી.. ગુગલે ગુગલ અર્થ બનાવ્યુ.. સાથે એમા ફેસીલીટી આપી અવકાશની સફરની... જેમાં તમે જોઈ શકશો હજારો ગેલેક્સીઓ અને લાખો તારાઓ... પરંતુ ફરીથી એ સવાલ તો ત્યાંનો ત્યાં જ છે.... આટલા મોટા બ્રહ્માંડમાં શું આપણું એક જ ઘર ?? પૃથ્વી અને ફક્ત પૃથ્વી જ ??

એની પાછળ બીજા સવાલો... શું આપણું કોઈ પડોશી નહી ?.. શું બીજી દુનીયામાં હશે? ત્યાં કોણ રહેતું હશે ? જે હશે તે કેવા દેખાતા હશે ? તેઓ કેટલા હશે ?? તેમની વસ્તી માનવ કરતાં વધારે કે ઓછી ? તેઓ શું ખાતા-પીતા હશે ? શુ પહેરતા-ઓઢતા હશે ? શું તેઓ આપણી કરતાં તાકતવર હશે ? સવાલ પર સવાલ.. સવાલ પર સવાલ... પણ કોઈ જવાબ નહી....

બસ મળ્યા તો અમુક કિસ્સા.. જેમાં દરેકે આકાશમાં ઉડતી રકાબી (સ્પેશ શીપ) જોઈ... કોઈ તેને ગેરસમજ કહે છે તો કોઈ તેને સત્ય જણાવે છે.. અરે કોઈ તો તેને ધર્મ સાથે જોડી દીધા...
ચાલો મુળવાત પર આવું અને વાત અગર થોડી પાછળ લઈ જાઊં તો ઘણી ગુફાઓમાં આદિમાનવોએ બનાવેલાં ભીંતચિત્રો પણ મળી આવ્યા છે... ઘણાં પુસ્તકો છપાયાં અને ઘણાં સમાચારો આવ્યા...

અમેરીકામાં ઉડતી રકાબીઓના સંશોધનની ખરી શરૂઆત કેનેથ આર્નોલ્ડના કીસ્સાથી થઈ. કેનેથ એક અમેરીકન વ્યવસાયી હતાં. બીજા વિશ્વયુદ્ધ બાદ ૧૯૪૭માં તેઓ પોતાના અંગત વિમાનમાં વોશીંન્ગટનના રેઈનીઅર પર્વત પાસેથી પસાર થતાં હતાં ત્યારે તેઓએ અવકાશમાં કોઈ રહસ્યમય પદાર્થ જોયો હતો. ત્યારબાદ સંશોધકોએ નોંધ્યુ છે કે આ પર્વતની આજુબાજુ આવા આશરે ૮-૧૦ પદાર્થો ઉડતાં દેખાય છે. કેનેથના વર્ણન મુજબ એ પદાર્થ પરાણે જોઈ શકાય એવો અર્ધચંદ્રાકાર ધરાવતો હતો. આ સીવાય પણ અન્ય વર્ણન કર્યા હતાં. તેના વર્ણનોની વ્યાપક નોંધ લેવાઈ થોડા દિવસની અંદર તેના માટે UFO (Unidentified Flying Object) શબ્દ પ્રચલિત થયો હતો. કેનેથના કીસ્સાબાદના જ અઠવાડીયામાં બીજા સેંકડો આવા પ્રકારના કીસ્સા વર્તમાન પત્રોને પાને ચઢી ગયા હતાં, જેમાં મોટા ભાગે અમેરીકાના જ હતાં. અહીં એક બનાવમાં એક પાયલતે ઈડાહો પાસે આવી નવ રકાબીઓ ઉડતી જોઈ હતી.

ઉડતી રકાબીઓના કીસ્સા માટે અમેરીકાની એર ફોર્સ દ્વારા ૧૯૫૨ માં પ્રોજેક્ટ બ્લુ બુક પણ શરૂ કરવામા આવ્યો હતો.. જે પાછળથી ૧૯૭૦માં બંધ કરી દેવામાં આવ્યો.(કારણ નથી ખબર)

કહેવાય છે કે કેટલીક સરકાર ઉડતી રકાબીની અમુક વાતોને છુપાવે છે. તેને લગતાં સામાન પણ સરકાર ખાનગી રીતે છુપાવીને રાખે છે. એરીયા ૫૧ ની જે વાત નીખીલભાઈએ કરી તે ઘણે અંશે સાચી છે. કહેવાય છે કે ત્યાં કોઈ પણ અજાણી વ્યક્તી દેખાય તો શુટ એટ સાઈટનો ઓર્ડર છે.

રોબર્ટ સ્કોટ લઝાર (જાણીતું નામ બોબ લઝાર) નામની વ્યક્તીએ દાવો કર્યો હતો કે તેઓએ નેવાડામાં ગ્રુમ લેક પાસે અને એરીયા ૫૧ ની બાજુમાં આવેલા સેક્ટર ૪ માં ૧૯૮૮-૮૯ દરમ્યાન ભૌતીક શાષ્ત્રી તરીકે ફરજ બજાવી છે. સેક્ટર - ૪ એ અમેરીકન મિલીટરીનું એક ગુપ્ત સ્થાન છે જ્યાં રીવર્સ એન્જીનીયરીન્ગ અને બાહ્ય અવકાસી પદાર્થો પર શોધ સંશોધન થાય છે. લઝારનો દાવો હતો કે તેમણે ત્યાં નવથી વધુ જુદી જુદી જાતની UFO પર કામ કર્યું છે... લઝારની પ્રસીદ્ધી ત્યારે ઘટી ગઈ જ્યારે તેના સ્કુલ પછીના કોઈ રેકોર્ડ ના મળ્યા અને એની સાયન્ટીફીક કોમ્યુનીટીના ઘણાએ એને એક પણ વાર મળ્યાની વાતને નકારી દીધી... પાછળથી લઝારનું શું થયું એની લગભગ કોઈને જાણ નથી (!)(!)(!)...

હજી તો આવી ઘણી વાતો છે.. જે આપણે જાણતાં નથી... કે જેની આપણને જાણ કરવામાં આવી નથી.... અને એ વિશે પણ ચર્ચાઓ તો ચાલતી જ રહેશે...

=: સપન :=
૧૪.૦૮.૧૦

Friday, May 21, 2010

ભીખ... દાન.. ધર્માદા..


મિત્રો...

સૌથી પહેલાં તો આપણે આ ભીખ.. દાન... ધર્માદો શું છે એ સમજીએ તો એની ઉપયોગીતા સમજમાં આવી જશે...

રસ્તે ચાલતાં કોઈ ગરીબ તમારી સામે હાથ લાંબો કરીને કશું માંગે છે અને તમે તેને રૂપીયા કે ખાવાની વસ્તુ આપો છો તો તે ભીખ છે.... કોઈ સંત વ્યક્તીને કે કોઈ સારી સંસ્થાને, કોઈ પશુ-પંખીને અપાયેલા ખોરાક કે રૂપીયા કે વસ્તુને દાન કહેવાય છે...... અને કોઈ આત્મજન ગુજરી જાય તો એની પાછળ અપાતાં દાનને આપણે ધર્માદો કહીએ છીએ.

બીજો સવાલ એ કે ભીખ કે દાન કે ધર્માદો કરવો જોઈએ કે નહી ??

તો મારા મત મુજબ હા. આ ત્રણે કરવા જોઈએ..... કારણ કે

(૧) ગરીબને ભીખ આપવાથી આપવાથી આપણે સામે વાળી વ્યક્તીની ફક્ત ગરીબી કે લાચારી દુર નથી કરતાં પણ એક એવા સમયને પણ જોઈએ છીએ જ્યાં માનવી નિઃસહાય થઈ જાય છે.....(આ તો દરેકનો જોવાનો નજરીયો છે..)... સમય અને સંજોગો માનવીને કેટલી હદ સુધી પછાડી શકે છે એ આપણે પોતાની નઝર સમક્ષ જોઈ શકીએ છીએ. અને એ સાથે જ આપણે એવા સંજોગો સામે બાથ ભીડવા આગોતરી તૈયારીઓ પણ કરી શકીએ છીએ. વૈગ્યાનીક રીતે એ સાબીત પણ થયુ છે કે જે વ્યક્તી ભીખ, દાન કે ધર્માદો નીયમીત રીતે કરે છે તે માનસીક રીતે વધુ મજબુત હોય છે.

(૨) સંતને કરેલા દાનમાં હંમેશા સંતના આશીષ રૂપી ફળ છુપાયેલું હોય છે અને સંતના આશીર્વાદના ફાયદા કેટલા હોય છે એ તો આપ સૌ જાણો જ છો.

(૩) અમુક સંસ્થાઓ ચાલે છે જે ખરેખર સેવા કાર્ય કરતી હોય છે....(મહેરબાની કરીને રાજકીય પક્ષોને આ સંસ્થાઓ સાથે જોડવા નહી...)... એવી સંસ્થાઓને અપાયેલા દાનથી દેશ અને સમાજનો ઉદ્ધાર થાય છે. આ સંસ્થાઓ અને એની ટીમ એવી વ્યક્તીઓ અને એવા ક્ષેત્રો સુધી પહોચે છે જ્યા કોઈ એકલા વ્યક્તીનું પહોંચવું ખરેખર અઘરૂં હોય છે, કહો કે અશક્ય હોય છે.

(૪) ધાર્મિક સંસ્થાઓને (મંદીર, મસ્જીદ, ગુરૂદ્વારા વિ.ને પણ અહીં શામેલ કરશો) કરાતા દાન પુણ્ય દ્વારા આપણે આપણા આત્માને તૃપ્ત કરીએ છીએ. આ વાત થોડી આધ્યાત્મીક છે પણ એટલી જ જરૂરી છે. આત્માની શાંતી... આત્માની તૃપ્તી... આત્માનો આનંદ એ કોઈપણ વ્યક્તીને ખુશહાલ જીવન આપવામાં પાયારૂપ બને છે. (આ વીશે વધુ નથી લખતો.. નહી તો આ ચર્ચા પ્રવચનમાં ફેરવાઈ જશે)

(૫) આપણે માણસ છીએ. ભુખ લાગે તો જાતે બનાવી લઈશું... જાતે ના બનાવી શકીએ તો બોલી શકીશું.. બોલી પણ ના શકાય તો ઈશારાથી માંગી લઈશું.. પણ મુંગા પશુ-પંખી કે જીવાતોનું શું ?? તેઓને પણ ભગવાને પેટ તો આપ્યુ જ છે. તો એમને કરાયેલું દાન પણ એટલું જ જરૂરી છે.

(૬) કોઈ આપ્તજન પાછળ જ્યારે કોઈ ધર્માદો કરે છે તો તેના દ્વારા એ આપ્તજનની આત્માની શાંતી માટે પ્રાર્થના પણ કરે છે. જગતને છોડીને ગયેલા આત્મા માટે પણ શાંતી પ્રાર્થના જરૂરી છે અને કદાચ આ કારણથી જ આ ધર્માદાનો રીવાજ અમલમાં આવ્યો હશે.

હવે ત્રીજો સવાલ.. ભીખ કે દાન કોને કરવા જોઈએ ??

શું દરેક ભીખારીને ભીખ આપવી જોઈએ ?? શું દરેક સંત અથવા ધાર્મીક કે સામાજીક સંસ્થાને દાન આપવું જોઈએ ??

તો આનો જવાબ મારા મત મુજબ ના છે. કોઈ ભીખારીને ભીખ આપતા પહેલા એ ચકાસવું જરૂરી છે કે શું એ ભીખ આપવાને લાયક છે. ક્યાંક એણે આ ભીખ માંગવાનો ધંધો તો નથી આદર્યો ને ?? હવે તમે કહેશો કે રસ્તે ચાલતાં કે ટ્રેનમાં મળેલા ભીખારીની એ લાયકાત ક્યાં તપાસવા જવી ?? તો મારૂ સુચન છે કે એવી વ્યક્તીને ભીખ આપવાનું ટાળો અને ખાસ કરીને રૂપીયા. હા, બાકી હાથ પગ કે આંખો વગરના માનવીની લાયકાત તપાસવાની તો જરૂર જ નથી હોતી.

સંતમાં પણ એની અંદરના સાતત્યને ચકાસવું જરૂરી છે. તેવી જ રીતે ધાર્મીક-સામાજીક સંસ્થાઓની પણ યોગ્યતા ચકાસવી જરૂરી છે. કારણ કે ઘણી જગ્યાએ આ સંસ્થાઓની આડમાં બીઝનેસ અને ટેક્સ સેવીન્ગસ થતાં પણ મે જોયા છે.

દાન આપવા માટે મનુષ્યની કે એના દ્વારા ચાલતી સંસ્થાઓની ચકાસણી કરવી જરૂરી બને છે પણ પશુ-પંખી માટે આ ચકાસની જરૂરી નથી એ કેવું વિચિત્ર કહેવાય નહી ??

ગરમીની સીજન પુરબહારમાં ચાલે છે એટલે out of topic આ સુચન લખવાનું મન થાય છે. તમારા ઘરની બહાર કે છત કે અગાસી ઉપર પાણીનાં કુંડા ભરીને મુકી રાખશો. મુંગા પશુ પંખીને પાણી પીવડાવવું એ પણ એક દાન આપવાની રીત જ છે....

હજી એક સવાલ બાકી છે... ભીખ, દાન કે ધર્માદા કેવી રીતે કરવાં ??

ભીખારીને ભીખ આપવી... સંસ્થાને કે સંતને દાન આપવું... કે આત્મજન પાછળ ધર્માદો કરવો એ આમ તો સીધી સાદી વાત છે... પણ કામ કેવી રીતે કરવા એ એક મહત્વની વાત છે.

ભીખારીને તમે રૂપિયાને બદલે ખોરાક પણ આપી શકો છો... આજકાલ ભીખ માંગવો એ ખરેખર એક ધંધો બની ગયો છે... આ ધંધાને કાબુ કરવા માટે આપણે જ સૌથી પહેલા જાગૃત થવાની જરૂર છે. અગર આપણે રૂપીયા આપીશું તો ભીખ માંગવી એ એની આદત બની જશે. પણ ખોરાક આપીશું તો એ કરી કરીને કેટલો ખોરાક એકઠો કરશે ?? અને દરેક જરૂરીયાત ફક્ત ખોરાકથી જ થોડી પુરી થવાની છે ?? આ દ્વારા તેને મહેનત કરવાની પ્રેરણા મળશે. માનુ છું કે આને કારણે કદાચ ભીખારીઓ ક્રાઈમ તરફ વળી જાય... પણ એ ડરથી આપણે પ્રયત્ન કરવો જ મુકી દેવો એ વાત તો યોગ્ય નથી ને ??

સંત કે સંસ્થાને પણ અગર થઈ શકે તો રૂપીયા આપવાના ટાળવા. તેમને રૂપીયા ન જ આપવા એમ નથી કહેતો. કારણ કે તેમની અમુક જરૂરીયાત તો તેના દ્વારા જ પુરી થશે. પણ તેમને પણ તેમની જરૂરીયાતી સામાન અગર આપશો તો ધાર્મિક સંસ્થાઓ અને સંતોમાં દુષણ ફેલાતુ અટકશે. (આ મારૂં માનવું છે... બાકી જેવી દ્રષ્ટી તેવી સૃષ્ટી.)

પશુ પક્ષીઓ માટે આવુ નથી જ લખવું પડતું. કારણ કે તેઓમાં માણસ જેટલી લુચ્ચાઈ તો નથી જ ભરેલી હોતી..

આ સીવાય પણ મદદના પ્રકાર છે. જેમ કે મિત્રોને મુસીબતમાં મદદ કરવી... એને જાણ ના થાય એમ... એ પણ દાનનો જ એક પ્રકાર છે. કહેવાનો અર્થ એજ કે નેકી કર ઔર કુવે મે ડાલ... જે પણ દાન કરો.. મદદ કરો... ભીખ આપો એનો ઢંઢેરો ના પીટવો...

અને હા, ભલે થોડુ દાન કરો પણ મનથી... દિલથી કરો.. લાગણીથી કરો, બુદ્ધીથી નહી... પરમાર્થ માટે કરો, સ્વાર્થ માટે નહી....

મિત્રો...

એક વિનંતી કરૂં છું...

અગર કોઈ તકલીફ ના હોય તો જીવનમાં રક્તદાન અને મૃત્યુ બાદ ચક્ષુદાન અને દેહદાન જરૂર કરજો... કારણ કે આ દાન દ્વારા તમે કોઈને જીવનદાન અને કોઈને પ્રકાશનું દાન આપી શકો છો તો કોઈ મેડીકલના વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થઈ વિદ્યાનું દાન પણ આપી શકો છો.

આભાર...

:: સપન ::
૨૧.૦૫.૧૦

Wednesday, May 19, 2010

સંબંધ



માનવી માનવી વચ્ચે આ અકબંધ શું છે ?
હવે કોઈ તો મને સમજાવે આ સંબંધ શું છે ?

સગા ને સાચવે અને સાવકાને સતાવે
એક માની મમતામાં આ ભરમ શું છે?

પીતાના આ ધંધામાં આપણને ના ફાવે.
બાપ-દિકરા વચ્ચે આ અણબન શું છે ?

કીધેલું માન, આમ તો તું છે નાનો
ભાઈ - ભાઈમાં આ ચણભણ શું છે ?

પત્નીથી પારકો પણ પારકી એ પત્ની
એક પતીની વફામાં આ ફરક શું છે ?

કોઈકના ભોગે દુ:ખ તો કોઈકના ભાગે સુખ
ઓ ઈશ્વર, આ માનવીના કરમ શું છે ?

હીન્દુ, મુસ્લીમ, શીખ, ઈસાઈ. રહેવા દે હવે.
’સપન’ જરા શીખ, માણસાઈનો ધરમ શું છે?

માનવી માનવી વચ્ચી આ અકબંધ શું છે ?
હવે કોઈ તો મને સમજાવે આ સંબંધ શું છે ?

:: સપન ::
૦૯.૦૫.૧૦

Monday, April 19, 2010

રાત્રે મુંબઈની સડક પર...


રાત્રે મુંબઈની સડક પર
ભટકતાં ભટકતાં...
એક સ્ત્રી પર નજર ગઈ..
ઓટલા પર સુતેલા ગરીબોને
રજાઈઓ વહેંચતી હતી...
મોઢા પર પ્રસન્નતાના અદભુત ભાવ હતાં
અને આંખોમાં અનેરી ચમક...
મારાથી એને સહજતાથી જ કહેવાઈ ગયું...
"વાહ! ખુબ સરસ કામ કરો છો તમે.."
તરત જ સામે જવાબ મળ્યો..
"આ સીવાય પણ એક સારૂં કામ કરૂં છું.."
આંખ મીચકારી બોલી...
"લઈ જઈશ મને.. પંદરસો લઈશ.. ઓન્લી.."

:: સપન ::
૧૮.૦૪.૨૦૧૦

Saturday, March 13, 2010

આમ પલકોને ઝુકાવી બેઠી છે નાર..



આમ પલકોને ઝુકાવી બેઠી છે નાર
આમ ઝુલ્ફોને લહેરાવી બેઠી છે નાર
કાંઈ કેટલાય પ્રેમના વાક્યો કહે છે
જુઓ.. હોઠોને સીવી બેઠી છે નાર

:: સપન ::
૧૪.૦૩.૧૦

Friday, March 5, 2010

આપણે...



એક બંધનમાં બંધાયેલા આપણે.
એક તાંતણે ગુંથાયેલા આપણે.
તુ ના જાણે તને; હું ના જાણું મને,
છતાં એકમેકને જાણી ગયેલા આપણે.

આપણાં દેશ અલગ, આપણા વેશ અલગ
હોઠોથી બોલેલા આપણા દરેક બોલ અલગ
અલગ અલગ છીએ, છતાં એક જ જાણે
એકમેકમાં કેવા ભળી ગયેલાં આપણે.

જેટલાં દુર છીએ, એટલા જ પાસે
અલગ શરીરે છીએ, છતાં એક શ્વાસે.
પવનમાં સમાઈ જતી સુગંધ જાણે
એકમેકમાં કેવા સમાઈ ગયેલાં આપણે.

એક બંધનમાં બંધાયેલા આપણે.
એક તાંતણે ગુંથાયેલા આપણે.

:: સપન ::
૦૭.૦૩.૨૦૧૦

Friday, February 26, 2010

હું તમને ખુબ પ્યાર કરૂં છું.



એક નાનકડી રજુઆત કરૂં છું.
અંતરના ઉંડાણથી એકરાર કરૂં છું
હું તમને ખુબ પ્યાર કરૂં છું

ઈશ્વરને કોણે જોયા છે આજ સુધી
તમારા પર ઈશ્વરથી વધુ એતબાર કરૂં છું
હું તમને ખુબ પ્યાર કરૂં છું.

ચમત્કારમાં વિશ્વાસ તો હું પણ નહોતો કરતો.
તમને જોયા ત્યારથી રોજ કવિતામાં ચમત્કાર કરૂં છું.
હું તમને ખુબ પ્યાર કરૂં છું.

તમે અને હું, બન્ને અલગ છીએ, જાણુ છું.
છતાં સપનમાં રોજ આપણને એકાકાર કરૂં છું.
હું તમને ખુબ પ્યાર કરૂં છું.

એક નાનકડી રજુઆત કરૂં છું.
અંતરના ઉંડાણથી એકરાર કરૂં છું
હું તમને ખુબ પ્યાર કરૂં છું

:: સપન ::
૧૪.૦૨.૧૦

Monday, February 1, 2010

પપ્પા...


પ્રેમથી તે દિવસે માથે તમારો હાથ ફર્યો
મારી પ્રગતીથી તમે એટલા ખુશ હતાં;
કે વ્હાલથી તમે મને ગળે લગાવ્યો.
આ વાત પણ સાચી હોત પપ્પા,
જો તમારી છબી પર હાર ના હોત.

:: સપન ::
01.02.10

Friday, January 22, 2010

ફેર શું ??



પ્રેમ કર્યો છે મે એને, પછી એણે તોડેલા વચનના વેર શું ?
એને આપેલું વચન જો હું પણ તોડું, તો અમારા બન્નેમાં ફેર શું ?

=:=: સપન :=:=
૨૧.૦૧.૨૦૧૦

=======================================================
મારી ઉપરોક્ત રચનાના પ્રતિ કાવ્ય રૂપે નિશાંત ભાઈ દ્વારા
નીચેની સુંદર રચના મળી;
જે બદલ હું એમનો આભારી છું.
=======================================================

પ્રેમ એ તો પ્રેમ હોય છે, તેમાં કોઈ વચન શું કે વેર શું???
કઈ મજબૂરીમાં તોડી'તી, આપેલી એ યાદી વચનોની,
જો તમને એ જાણ થાય તો, મારા એ પ્રેમનું શું ???
"નિર્ઝર" બેવફા બનીને રહેશે, આખી ઝીંદગીમાં આપની,
જો આપને એ જણાવી જ દઉં, તો આપણા બંનેમાં ફેર શું???

નિશાંત ગોર "નિર્ઝર"

Monday, January 18, 2010

જમાના એ દિધા છે ઝખમ એટલાં....



નથી નદી કે નથી દરીયો, છતાં અહીં વગર પાણીએ વમળ રચાય છે.
જમાના એ દિધા છે ઝખમ એટલાં, હવે કોઈ મરહમ લગાવે તોય દર્દ થાય છે.

પ્રેમ અને વહેમ વચ્ચે ઝોલા ખાતી જીંદગી. ક્યારેક વહેતી ક્યારેક થોભતી જીંદગી
જીંદગીની નાવને સંભાળુ હું કેમ ? આ નાવ તો પતવારમાં જ અટવાય છે.

સમયના વહેણમાં ખેંચાઈ જાઊં છું. વિચારોની લહેરમાં તણાઈ જાઊં છું.
તુટેલા ’સપન’ લઈ ચાલુ છું જ્યાં; એ રાહ પર મારી મંજીલ અટવાય છે.

નથી નદી કે નથી દરીયો, છતાં અહીં વગર પાણીએ વમળ રચાય છે.
જમાના એ દિધા છે ઝખમ એટલાં, હવે કોઈ મરહમ લગાવે તોય દર્દ થાય છે.

=: સપન :=
૨૦.૦૧.૧૦

Friday, January 8, 2010

મંજુર છે...




તુ શરૂઆતને અંત કહીશ, મંજુર છે.
તુ શયતાનને સંત કહીશ, મંજુર છે.
બસ તુ મને અપનાવી લે..
પછી તુ કોઈ પણ શરત મુકીશ મંજુર છે.

આમ જ કોઈ ધરી દે અમૃતનો સાગર, નથી જોઈતો.
તુ પ્રેમથી બે બુંદ ઝેર આપીશ, મંજુર છે.

હવે ડંખે છે મને ફુલોની સેજ પણ તારા વિના.
તારી સાથે તો બાણ શૈય્યા પણ મંજુર છે.

તુ શરૂઆતને અંત કહીશ, મંજુર છે.
તુ શયતાનને સંત કહીશ, મંજુર છે.
બસ તુ મને અપનાવી લે..
પછી તુ કોઈ પણ શરત મુકીશ મંજુર છે.

=:=: સપન :=:=
૦૮.૦૧.૨૦૧૦

Friday, January 1, 2010



તારા રૂપને થોડું નિરખી લઊ.
તારા પ્રેમને થોડો પામી લઊ.
અરમાન દિલમાં એ આજે જાગ્યું;
તને મારી કવિતા બનાવી દઊ.

પ્રેમની ઝાકળ ભેગી કરી ભર્યો છે ખોબો.
લાવ તારા સુરૂપ ચહેરા પર એક છાલક મારી લઊ.

ઉડતા વાદળને અટકાવી વરસાવુ મેઘ.
આજે તારા અંગ અંગને હેતથી ભિંજવી દઊ.

વસંતના દરેક ફુલની સુગંધ લાવ્યો છું.
અને એ કામુક ખુશ્બુથી તારી ઝુલ્ફો મહેકાવી દઊ.

તારા રૂપને થોડું નિરખી લઊ.
તારા પ્રેમને થોડો પામી લઊ.
અરમાન દિલમાં એ આજે જાગ્યું;
તને મારી કવિતા બનાવી દઊ.

=:=: સપન :=:=
૨૯.૧૨.૦૯


ક્યારેક હું કહી ના શકું તો તુ સમજી જજે..
ક્યારેક હું સમજી ના શકું તો તુ કહી દેજે..
એકબીજાને સમજાવતાં કદાચ રીસાઈ પણ જઈએ..
ક્યારેક હું ના મનાવી શકું તો તું માની જજે..

=:=: સપન :=:=
| ૨૨.૧૧.૨૦૦૯ |