Search This Blog

Tuesday, December 2, 2008

.....ત્યારે લાગી આવે



એને દિલમાં વસાવીએ અને એ જ્યારે દીલ તોડી જાય ત્યારે લાગી આવે.
એના પ્રેમમાં પાગલ થઈ જઈએ અને એ તરછોડી જાય ત્યારે લાગી આવે.

મન કહે શું સુંદર ફુલ છે? પછી એને કોઈ તોડી જાય ત્યારે લાગી આવે.
માળી વસાવે ઉપવનને. પછી કોઈ એને ઉઝાડી જાય ત્યારે લાગી આવે.

સુખમાં કાયમ સાથ દેનારા. દુખમાં હાથ છોડી જાય ત્યારે લાગી આવે.
દર્દ કોઈ સમજે ના સમજે પણ જ્યારે કોઈ રડાવી જાય ત્યારે લાગી આવે.

ઉગતા સુર્યને સૌ કોઈ પુજે. ડુબતાની મજા માણી જાય ત્યારે લાગી આવે.
પુનમના ચંદ્રને પ્રેમ કરે અને એને અમાસે કાળો કહી જાય ત્યારે લાગી આવે.

પત્થરને પુજીને લોકો પુણ્ય કમાય. ભુખ્યાને લાત વાગે ત્યારે લાગી આવે.
પ્રેમની વાત કરે છે જે લોકો એ જ્યારે વેર વાળી જાય ત્યારે લાગી આવે.

કોઈની પ્રીતમાં ખોવાઈ જઈએ અને એ પુંઠ ફેરવી જાય ત્યારે લાગી આવે.
કોઈ આંખોમાં સમાઈ જાય અને પછી "સપન" તુટી જાય ત્યારે લાગી આવે.

:: સપન ::
૦૨-૧૨-૨૦૦૮

હું છું સપન સુરતીલાલો

{ સુર્યપુત્રી તાપી - Tapi River - Daughter of Sun }


હું છું સપન સુરતીલાલો
જીવનથી ભરપુર જીવનનો પ્યાલો
હું છું સપન સુરતીલાલો

ક્યારેક ડાહ્યો ક્યારેક ડમરો
ક્યારેક ફુલ ક્યારેક ભમરો
થોડો પ્યારો થોડો ન્યારો
નાગર નટખટ સૌનો વ્હાલો
હું છું સપન સુરતીલાલો
જીવનથી ભરપુર જીવનનો પ્યાલો
હું છું સપન સુરતીલાલો

થોડો સીધો થોડો વાંકો
થોડો સહેલો થોડો આકરો
થોડો બુરો થોડો ભલો
થોડો શાણો થોડો ભલો
હું છું સપન સુરતીલાલો
જીવનથી ભરપુર જીવનનો પ્યાલો
હું છું સપન સુરતીલાલો

:: સપન ::

Wednesday, November 19, 2008

શરૂઆતથી જ હું અંતને શોધતો રહ્યો.


શરૂઆતથી જ હું અંતને શોધતો રહ્યો.
ના જાણે કેમ હું ખુદ ને ખોળતો રહ્યો.

પહેલાં જ કદમથી મે મંજીલને ઈચ્છી,
મંજીલ ધ્યાનમાં રહી, રસ્તા ભુલતો રહ્યો.

વરસતા વાદળમાં પલળવાની ઈચ્છા થઈ
વાદળ વરસી ગયું, હું કોરો-સુકો જ રહ્યો.

હસવાને ફેલાવ્યા જ્યારે મે હોઠો,
એક આંસુ આવ્યુ, હું ગમ પીતો રહ્યો.

કવીતા લખવા ઉપાડી મે કલમ,
શબ્દ મળ્યા મને, અર્થ હું ખોતો રહ્યો.

આંખો મીચીને મે યાદ કરી જો એને,
સપન ના આવ્યુ, ને હું જાગતો રહ્યો.

સપન
૧૮.૧૦.૨૦૦૮

Friday, November 7, 2008

કવીશ્રી આદિલ મન્સુરીને શ્રદ્ધાંજલી.

શાહી તો મળી જાશે પણ એ કલમ ક્યાંથી મળશે??
દરેક મનને જીતી લેતું એ મન ક્યાંથી મળશે??
કવીતાઓમાં ધબકતું એ જીવન ક્યાંથી મળશે??
ગુજરાતને ધબકારતા ’આદિલ’ ક્યાંથી મળશે??
"સપન"

કવી શ્રી આદીલને શ્રદ્ધાંજલી અર્પવાનો એક નાનો અને નમ્ર પ્રયાસ...

લીલાછમ પર્વત પર રમતું વાદળ તું લાગે છે.


લીલાછમ પર્વત પર રમતું વાદળ તું લાગે છે.
શીયાળુ ઝાકળની ભીની ચાદર તું લાગે છે.

રાતે વાદળ પાછળ ચમકતી વિજળી તું લાગે છે.
પ્રભાતે ખીલતા ગુલાબની પાંદડી તું લાગે છે.

શબ્દોના બંધનથી મુક્ત કવીતા તું લાગે છે.
હસતી રમતી ઉછળતી કુદતી સરીતા તું લાગે છે.

પુનમની રાતે રેલાતી ચાંદની તું લાગે છે.
પાટણના પટોડા પર શોભતી બાંધણી તું લાગે છે.

મનનાં નિ:સ્વાર્થ પ્રેમની લાગણી તું લાગે છે.
સપનને તો કોઈ સુંદર શાયરી તું લાગે છે.

સપન
૧૭.૧૦.૨૦૦૮

वो नझरे भी मिलाते है और आंखे भी चुराते है

वो नझरे भी मिलाते है और आंखे भी चुराते है
जब भी मिलते है वो, तब ऐसे ही शरमाते है

बीना मिले उन्हे हम रेह नही पाते
जब मिलते है, कुछ केह नही पाते
वो हमारी आंखो को पढ लेते है
फ़ीर आंखो से ही सब केह जाते है
खामोशीयो मे वो याद आते है
बातो में भी वो चले आते है

जब आंखो को बंध करके हम सो जाते है
तब चुपके से आके वो सपन मे समा जाते है.

सपन
१९.१०.२००८

આજે આકાશ પણ રડી રહ્યુ છે.


મને આ દર્દ દઝાડી રહ્યુ છે.
જુઓ, આજે આકાશ પણ રડી રહ્યુ છે.

વેદનાના તીર દીલને વિંધી રહ્યા છે.
વિરહના કાંટા ધડકન છેદી રહ્યા છે.
ફરી કોઈ યાદ આવી રહ્યુ છે.
જુઓ, આજે આકાશ પણ રડી રહ્યુ છે.

આંખો બસ એમને શોધી રહી છે.
વાટ બસ એમની જોઈ રહી છે.
જીવન બસ એમને ઝંખી રહ્યુ છે.
જુઓ, આજે આકાશ પણ રડી રહ્યુ છે.

કવીતા તો દર્દની બની રહી છે.
કલમ બસ શબ્દો લખી રહી છે.
તુટ્યુ સપન એમા ભળી રહ્યુ છે.
જુઓ, આજે આકાશ પણ રડી રહ્યુ છે.

સપન
૧૯.૦૯.૨૦૦૮

Tuesday, September 30, 2008

સહુથી અઘરો સવાલ છું હું....


સહુથી અઘરો સવાલ છું હું
કોઈ તો કહે મને, કોણ છું હું?
પાનખરમાં ખરતું પાન છું હું ?
કે પછી નિશાન ચુકેલું બાણ છું હું?
કદાચ ટુટેલો દર્પન છું હું..
કોઈ તો કહે મને, કોણ છું હું?

આંટી ઘુટી ને આટા પાટા, જીવન જાણે જુગાર સટ્ટા
એક બાજી જિત્યા જ્યારે,તેર બાજી હાર્યા ત્યારે,
સતત હારતો સિકંદર છું હું.
કોઈ તો કહે મને, કોણ છું હું?

દરીયે તોફાન, વચ્ચે વમળ.
નાવ છે નાની, એ પણ કાણી.
એ નાવની પતવાર છું હું.
કોઈ તો કહે મને, કોણ છું હું?

આંધીએ અટવાયેલું વહાણ છું હું
કે પછી આંખે ભોંકાતું ’સપન’ છું હું.
કદાચ જવાબ વિનાનો સવાલ છું હું.
કોઈ તો કહે મને, કોણ છું હું?

સપન
૨૭.૦૯.૨૦૦૮

Thursday, August 28, 2008

"મિચ્છામી દુકડ્ડ્મ"

મિત્રો,

આજકાલ જૈનોના પર્યુષન પર્વ ચાલી રહ્યા છે. તેથી આપ સૌને "મિચ્છમી દુકડ્ડ્મ" શબ્દ ખુબ સાંભળવા મળશે. તો આ ટોપીક એના વિશ જ છે...

"મિચ્છામી દુકડ્ડ્મ" શબ્દ એ અર્ધમાગધી ભાષાનો છે અને તેનો અર્થ થાય છે "હું માફી માંગુ છું"

"જિવનમાં કોઈ પણ જીવનું અગર મારા મનથી અહીત ઈચ્છ્યુ હોય કે અહીત થયુ હોય અથવા મારા વચનને કારણે (એટલે કે મારી બોલીને કારણે) કોઈનું અહીત થયુ હોય કે કોઈને દુઃખ પહોચ્યુ હોય અથવા મારા શરીર થકી કોઈનું અહીત થયુ હોય કે કોઈને દુઃખ પહોચ્યુ હોય તો તે બદલ હું એ દરેક જીવની માફી માંગુ છું. મે મનથી, વચનથી કે કાયાથી મે કોઈ જીવને હણ્યો હોય, હણાવ્યો હોય અથવા કોઈએ હણ્યો હોય અને મે તેની અનુમોદના (વાહ વાહ) કરી હોય તો તે બદલ હું માફી માંગુ છું"

આ રીતે દરેક જૈને સંવત્સરી (એટલે કે પર્યુષણ નો છેલ્લો દિવસ) પહેલાં દરેજ જીવની માફી માંગવાની હોય છે... સાથે સાથે જૈન દર્શનમાં બતાવેલા અઢાર પાપસ્થાનો પૈકી કોઈ પાપ કર્યુ હોય તો તેની પણ માફી માંગવાની હોય છે.... અને આથી જ પર્યુષણ પર્વ એ ક્ષમાપનાનો મહોત્સવ કહેવાય છે...

કોઈને તમાચો ચોડી દેવો સહેલો છે, પણ ત્યાર પછી માફી માંગવી અઘરી છે.
કોઈના વેરની સામે વેર વાળવુ સહેલું છે, પણ વેરની સામે માફી આપવી અઘરી છે.
જે માનવી દુશ્મનને જીતી જાણે તે વીર કહેવાય, પણ જે માનવી દુશ્મનને માફ કરી જાણે તે મહાવીર કહેવાય.

જૈનોના ચોવીસમા તિર્થંકર શ્રી મહાવીર સ્વામી પરમાત્માએ ક્ષમાનો અદભુત મહીમા બતાવેલ છે. તો શરૂઆત પણ એમના જ જીવન પ્રસંગોથી કરીએ..

એક વખત એક મહારજ સાહેબ (જૈન મુની){નામ મને નથી યાદ પણ તેમના નામમાં કૌષીક શબ્દ આવે છે તે યાદ છે} તેમના શિષ્ય બાલ મુની ને લઈને વિહાર કરતાં હતાં રસ્તામાં એક મૃત દેડકા ઉપર મ. સા. નો પગ પડી ગયો. તેથી તેમણે બાલ મુનીને આ અંગે તેઓ તેમના ગુરૂ પાસે ક્ષમા માંગી લે એવુ યાદ કરાવવાં કહ્યુ. ઉપાશ્રય પહોચ્યા એટલે બાલ મુની એ વિનયભેર તેમને યાદ કરાવ્યું કે "ગુરૂદેવ ઓલા મૃત કાચબા ઉપર આપનો પગ પડેલો એ અંગે આપે દાદા ગુરૂ પાસે ક્ષમા માંગવાની છે." પણ તેઓ અન્ય કામમાં હોઈ તે કામ પછી થી કરીશ એમ કહ્યુ. દિવસમા બે-ત્રણ વખત બાલ મુની એ યાદ કરાવ્યું.. પણ દરેક વખતે તેમણે જુદા જુદા કારણ સર ક્ષમા માંગવી ટાળી... સાંજના સમયે જ્યારે તેમણે ફરી યાદ કરાવ્યુ ત્યારે ગુરૂદેવનો ગુસ્સો ગયો કે "કેમ વારે વારે યાદ કરાવો છો, મને સમજ નથી પડતી એમ માનો છો તમે??" અને દંડો ઉપાડી બાલ મુની ને મારવા દોડ્યા. બાલ મુની બચાવ માટે દોડ્યા... પાછળ ગુરૂદેવ... દોડતા દોડતાં રસ્તામાં થાંબલો આવ્યો... બાલ મુની ત્યાંથી આઘા ખસી ગયા અને ગુસ્સામાં અંધ બનેલા ગુરૂદેવને એ થાંબલો ના દેખાયો અને તેમનું માથુ થાંબલા સાથે અફળાયુ... ત્યાં જ તેઓ કાળ કરી ગયા... અને કોઈક નગરમાં માળી તરીકે જનમ્યા... ગુસ્સામાં મૃત્યુ પામ્યા હોવાથી આ ભવમાં પણ તે ભયંકર ક્રોધી બન્યા... તેમના બગીચામાં રમવા આવતા છોકરાઓ જ્યારે ફુલ તોડતા ત્યારે તેઓ લાકડી લઈને મારવા દોડતાં... આવી જ એક દોડા દોડી માં તેઓ કુવામાં પડીને મૃત્યુ પામ્યા... અને એક જંગલમાં ચંડકૌષીક નામના ભયંકર ઝેરી સર્પ બનીને જનમ્યા...

આ ચંડકૌષીકની વિશે એમ કહેવાય છે કે એ એટલો બધો ઝેરી સર્પ હતો કે તે જેની સામે જોતો એ બળી ને ભષ્મ થઈ જતો... એ પછી પક્ષી હોય, પ્રણી હોય કે મનુષ્ય... એની એક નજરથી જ તેઓ ખાક થઈ જતાં....

પ્રભુ મહાવીર ત્યારે આ પૃથ્વી પર વિચરતા હતાં... તેઓ આ જંગલમાં દાખલ થયા ત્યારે લોકોએ ખુબ વિનંતી કરી કે ત્યાં ના જાઓ... પણ પ્રભુ એ જ માર્ગે આગળ વધ્યા.... જ્યારે તેઓ ચંડકૌષિક સામે આવ્યા ત્યારે તેની નજરથી પ્રભુને કશું ના થયુ.. તેથી ચંડકૌષીકે પ્રભુને જમણા અંગુઠે દંશ માર્યો. તિર્થંકર પરમાત્માનો એક ગુણ એ હોય છે કે તેમના શરીરમાં સફેદ દુધ વહેતું હોય છે, લોહી નહી.. દંશ માર્યો ત્યારે પ્રભુના એ અંગુઠેથી સફેદ દુધની ધાર જોઈ અને સર્પ તેમને નમી પડ્યો... આમ તો દિક્ષા લિધા બાદ પ્રભુ કેવળજ્ઞાન ના મળે ત્યાં સુધી તેઓ મૌન જ રહે છે... પણ ત્યારે પ્રભુએ ચંડકૌષિક ને ત્રંણ શબ્દ કહ્યાં.... "બુઝ્ઝ બુઝ્ઝ ચંડકૌષિયા" એનો અર્થ થયો "ચંડકૌષિક કઈક સમજ, કઈક સમજ" આ શબ્દો સાથે ચંડકૌશીકને પોતાનો સાધુ ભવ યાદ આવે છે અને તેને પસ્તાવો થાય છે કે કાશ મે જો ત્યારે માફી માંગી લિધી હોત તો આજે મારે આટલા ઝેરી ના થવુ પડ્યુ હોય... આ પસ્તાવો કરતાં કરતાં તે પોતાના રાફડામાં એ રીતે ઉંધો ઘુસી જાય છે કે તેનું માથુ અંદર રહે અને બાકીનું શરીર બહાર રહે... લોકોને થાય છે કે આ સર્પ ભગવાનની વાણી સાંભળી ને કોઈ મહાત્મા બની ગયો છે... તેથી લોકો તેનો દુધ સાકર વગેરેથી અભિષેક કરે છે... દુધ સાકર વિગેરેને કારણે ત્યાં કિડીઓ ઉભરાય છે અને ધિમે ધિમે કરી એ સર્પને કરડવાનું ચાલુ કરે છે... પણ સર્પ તે દરેકને ક્ષમા આપતો જાય છે... જોત જોતામાં તેનું શરીર ચાળણી જેવું થઈ જાય છે... ત્યાં સુધી તેમાં પ્રાણ રહ્યા હોય છે અને ત્યારે પણ તે દરેક કિડીને ક્ષમા આપતો જાય છે અને પોતાને કારણે જે જે જીવો દુખી થયા હોય તે દરેકની ક્ષમા માંગતો જાય છે.. એમ કરતાં કરતાં તે પ્રાણ ત્યાગે છે અને દેવલોકમાં તે દેવ તરીકે ઉત્પન્ન થાય છે....

જોયું ક્ષમાએ એક ઝેરી અને હિસક સર્પને છેક દેવલોકમાં પહોચાડ્યો..

પ્રભુ મહાવીરે એ ગોવાળ ને પણ ક્ષમા આપી છે કે જેણે પ્રભુના કાનમાં ખીલા ઠોક્યા... પ્રભુ ધ્યાનમાં ઉભા હતાં ત્યારે પોતાના ઢોર પ્રભુ પાસે મુકી તે કામે ગયો... પ્રભુ ધ્યાનમાં હોય તેઓને બાહ્ય જગત વિષે કશુ ખ્યાલમાં નથી હોતું તો ગોવાળના ઢોર વિશે તો તેઓને શું ખબર હોય.. ગોવાળ કામ પતાવી આવ્યો ત્યારે ત્યાં ઢોર નોહતાં... તેથી એ શોધવા ખુબ રખડ્યો અને જ્યારે પાછો આવ્યો ત્યારે ઢોર ફરી ત્યાં જ બેઠા હતાં... ગોવાળને થયું કે આ તો મારી સાથે મજાક થઈ અને ગુસ્સામાં તેણે પ્રભુના કાનમાં ખીલા ઠોક્યા અને ખિલાનો જે ભાગ કાનની બહાર દેખાતો હતો તે ભાગ એણૅ કરવતથી કાપી નાંખ્યો... જેથી લોકોને ખબર ના પડે... ક્ષમા અને સમતાના મહાસાગર એવા પ્રભુએ તે ગોવાળને પણ માફ કર્યો... આ ખિલા જ્યારે કાઢવામાં આવ્યા ત્યારે ખુદ ભગવાનના મોએ થી એક તીણી ચિસ નિકળી ગયેલી....

એક પ્રસંગ ગોશાળા નામક સાધુનો પણ આવે છે જે પોતાને પ્રભુ તુલ્ય ગણાવતો અને જ્યારે પ્રભુ સામે આવ્યા ત્યારે પ્રભુને ભશ્મ કરવા તેણે તેજો લેશ્યા નામક વિધ્યાનો પ્રયોગ કરેલો.. પણ પ્રભુના પુણ્યબળે એ લેશ્યાએ પ્રભુની પ્રદક્ષિણા કરી ફરી ગોશાળાને જ બાળી નાખ્યો.. આવી લેશ્યા છોડનાર ગોશાળાને પણ પ્રભુએ ક્ષમા આપી...

આ તો થઈ પ્રભુ મહાવીરના જીવન પ્રસંગોની વાતો..

મુળ મુદ્દો એ છે કે માફી આપવાથી કે માંગવાથી કોઈ નાનુ નથી થઈ જતું... પણ હા... એ વ્યક્તિની મોટાઈ જરૂર દેખાઈ આવે છે... તમે માર્ક કર્યુ હશે કે ઘણીવાર માફી માંગવાથી કે આપવાથી ખુબ મોટા ઝઘડા ટળી જતાં હોય છે... દા.ત. તમે રસ્તે જતા હો અને કોઈનું સ્કુટર તમને અડી જાય ત્યારે તમારી ભુલ ના હોવા છતાં તમે સોરી કહી દેશો તો એવુ બને કે સામે વાળો ફક્ત સ્માઈલ આપીને નીકળી જાય અથવા એ પણ સોરી કહે... જો ત્યારે તમે એને દેખાડી દેવા બે-ચાર સુરતીઓ સંભળાવી દો તો કદાચ મોટો ઝઘડો પણ થઈ જાય... આવા તો અનેક પ્રસંગો તમારા જિવનમાં આવ્યા હશે... યાદ રાખશો વેરની સામે વેર વાળવું એ તાકાતની વાત છે, જ્યારે વેરની સામે માફી વાળવી એ તો જીગરની વાત છે... "ક્ષમા વિરસ્ય ભુષણમ" અમસ્તુ નથ કહેવાતું... ગાંધીજીએ પણ આ જ સંદેશો આપ્યો છે ને.. કોઈને માફી આપવાથી કે કોઈની પાસે માફી માંગવાથી સામે વાળી વ્યક્તીનો વેર ઓછો થઈ જાય છે અને આપણાં માટે પ્રેમ વધે છે...સામે વાળી વ્યક્તિને વાર કરવા દો તમે ફક્ત ક્ષમા આપો...

"ક્ષમાપના" વિશે તો ઘણું લખવા જેવું છે... ક્ષમા એ એક વજ્ર કરતાં પણ વધુ શક્તિશાળી હથિયાર છે... ક્ષમા નો એક ચમત્કાર એ છે કે એ ભલભલાને નમસ્કાર કરવા મજબુર કરે છે.. દુઃખી થવા માટેના ઘણા માર્ગો આ ક્ષમા બંધ કરી દે છે... પશ્ચાતાપ માનવીને પવિત્ર બનાવે છે અને ક્ષમા માનવીને મહાન બનાવે છે... જે અન્યને ક્ષમા આપી શકે છે એને દરેક જગ્યાએથી મા જેવુ વાત્સલ્ય મળૅ છે.... યાદ રાખજો કે શત્રુને આપવા જેવી કોઈ ઉતમ ચિજ હોય તો તે ક્ષમા છે... શત્રુ વેરથી વાળ્યો નહી વળે પણ ક્ષમાથી તરત નમી જશે...

ક્ષમામાં સંસ્કૃતી છે અને વેરમાં વિકૃતી છે.
ક્ષમા એ કમળ છે અને વેર એ વમળ છે.
ક્ષમામાં કબુલાત છે અને વેરમાં વકિલાત છે.
ક્ષમામાં મિલાપ છે અને વેરમાં વિલાપ છે.
ક્ષમામાં સર્જન છે અને વેરમાં વિસર્જન છે.

ક્રોધ એ જીવનને કરૂણ અંત તરફ લઈ જાય છે જ્યારે ક્ષમા એ દરેક પળમાં નવા જિવનનો ઉદય લાવે છે...

તો આવો મિત્રો.. આજે આપણે આપણા શત્રુઓને ક્ષમા આપીએ અને સામે તેમની ક્ષમા માંગીએ... "વેરથી વેર શમે નહી જગમાં.. પ્રેમથી પ્રેમ વધે જીવનમાં" એ ઉક્તીને અપનાવીએ...

ચાલો એકબીજાને કહીએ "મિચ્છામી દુકડ્ડ્મ"


=: સપન :=
૨૯.૦૮.૨૦૦૮

Wednesday, August 27, 2008

પ્રેમ મારૂ નામ, પ્રિત મારૂ કામ


પ્રેમ મારૂ નામ, પ્રિત મારૂ કામ
તુ મારી રાધા, હું તારો શ્યામ

ઊપવનમાં ના ખોજ મને ફુલોમાં ના શોધ
હું છું તારી આસપાસ, શોધને તારા શ્વાસ

જ્યા છે તારૂ દિલ, જ્યા ધડકનનો વાસ
શોધ મને ત્યાં, ત્યાં જ છે મારો વાસ

કહુ છું હું તુજને ખાસ, મારી વાતમાં કર વિશ્વાસ
ભુલીને હું સઘળા કામ, લગાવી બેઠો છું તારી આશ

પ્રીત બંધાણી તારી સાથ, દિલ જોડાણું તારી સાથ
આવે સપન તારા, જ્યારથી નયન લાગ્યા તારી સાથ

સપન
૨૨.૦૮.૨૦૦૮

અને હું જાગતો રહ્યો.....


શરૂઆતથી જ હું અંતને શોધતો રહ્યો
ના જાણે કેમ હું ખુદ ને ખોળતો રહ્યો?

પહેલાં જ કદમથી મે મંજીલને ઈચ્છી
મંજીલ ધ્યાનમાં રહી ને રસ્તા ભુલતો રહ્યો

વરસતાં વાદળમાં પલળવાની ઈચ્છા થઈ
વાદળ વરસી ગયું ને હું કોરો-સુકો જ રહ્યો

હસવાને ફેલાવ્યા જ્યારે મે હોઠો.
એક આંસુ આવ્યુ ને હું ગમ પીતો રહ્યો

લખવાને કવીતા ઉપાડી મે કલમ
શબ્દ મળ્યા મને, અર્થ હું ખોતો રહ્યો

આંખો મીચીને કરી જો યાદ એને
"સપન" ના આવ્યુ અને હું જાગતો રહ્યો

સપન
તા. ૨૧.૦૮.૨૦૦૮

Monday, August 18, 2008

આત્મ હત્યાની નિષ્ફળતાં

આપણા જગુભાઈ તો જીવનથી કંટાળી ગયા...

તનતોડ મહેનત કરી તેઓ પૈસા ઉભા કરે... એને પત્ની કિટી પાર્ટીમાં, છોકરો એની બેનપણીઓની ડેટ્સમાં અને છોકરી સાજ સણગારમાં પુરા કરી નાખે.... બચત થાય નહી અને તેમનો જીવ બળે.... જગુભાઈ પોતાના સંસારથી કંટાળી ગયા... અને વિચાર કર્યો આત્મહત્યા કરવાનો....

સૌથી પહેલા તેમણે કેરોસીનથી બળી મરવાનો વિચાર કર્યો.... અને ત્યાંથી એમની માટે ટ્રેજેડીભરી અને આપણી માટે કોમેડી ભરી કથાની શરુઆત થઈ....

કેરોસીનનો ડબ્બો લેવા એ જેવા ભંડકીયા(store room) નો દરવાજો ખોલ્યો કે તરત જ તેમની સામે એક ઉંદરડો દોડ્યો... અચાનક થયેલા ઉંદરના આક્રમણથી જગુભાઈ ડરી ગયા અને તેમના મોં માંથી એક તીણી ચીસ નિકળી ગઈ... થોડા સ્વસ્થ થયા એટલે એમણે ઉંદરને ગાળ આપી અને બોલ્યા : "કમ્બખ્ત ઉંદેરડા... કહીને એન્ટ્રી નથી પડાતી??? મને હાર્ટ એટેક આવી ગયો હોત તો!!!"

ભંડકીયામાં થોડા ખાખાખોળા કર્યા પણ એમને કેરોસીનનો ડબ્બો ના મળ્યો... એટલે તેઓ બહાર આવ્યા... ત્યાં અચાનક એમનું ધ્યાન ગયું કે કેરોસીનનો ડબ્બો તો બાથરૂમમાં પડ્યો છે... ચાલો છેવટે ડબ્બો મળ્યો... રસોડામાં જઈ એમણે એ ડબ્બો પોતાના ઉપર ઉંધો કરી દિધો... તો અંદરથી સાબુનું પાણી પડ્યુ... પત્યુ. ભિના થઈ ગયેલા એટલે એમના પર હવે આગ કામ કરવાની નહોતી... તેમણે કેરોસીનથી બળી મરવાનો વિચાર માંડી વાળ્યો....

પણ પાણી પરથી તેમને વિચાર આવ્યો કે અગર વિજળી ને તેઓ અડે તો મરી જાય... એટલે એમણે બાથરૂમમાં જઈ બાથટબ ભર્યુ અને તેમાં વાયરનો એક છેડો નાંખ્યો અને બીજો પ્લગમાં ભરાવ્યો... સ્વીચ ચાલું કરી જેવા તેઓ પાણીમાં બેસવા ગયા કે તરત લાઈટ જતી રહી... તેમને વિજળીનો નાનો એવો જાટકો પણ ના લાગ્યો... વિજ કંપનીને ગાળો દેતા તેઓ બાથટબની બાહાર નિકળ્યા અને આ રિતે મરવાનો વિચાર માંડી વાળ્યો...

પછી થયું કે પંખા પર લટકી ને મરી જાઊં.... વાઈફની સાડી લીધી પંખા પર બાંધી અને ગળે ફાંસો નાંખ્યો... જેવું પગ નિચેનું ટેબલ હટાવ્યુ કે તેઓ લટકી ગયા.. ગળા કરતાં ગાળ્યો મોટો થઈ ગયેલો એટલે જિવ પણ નિકળતાં નિકળતાં શરીરમાં જ લટકી ગયો... ઉપરથી પંખો જે કડામાં હતો તે લોખંડનો કડો પણ સડી ગયેલો... તેનાથી આ વજન સહન ના થયુ અને જગુભાઈની આત્મ હત્યાની સામે જાણે બળવો પોકારતો હોય તે રીતે બે ભાગમાં તુટી ગયો.. જગુભાઈએ પોતાના જ પગ નીચેથી સરકાવેલું ટેબલ આડુ પડ્યુ હતું... તેનાં પર જગુભાઈ, જગુભાઈ પર પંખો અને પંખા પર ઓલુ બળવાખોર કડુ પડ્યુ.... બિચારા જગુભાઈને ખુબ વાગ્યુ. પગ મોચવાયો, પાછળ ચોક્કસ જગ્યાએ ટેબલનો પાયો વાગ્યો અને માથા ઉપર પંખાએ લોહી કાઢ્યુ... પોતે હાડવૈદાના થોડા ઘણાં જાણકાર એટલે એમણે પગને ટાચકા ફોડી સીધો કર્યો... રૂમાલ લઈ માથાના ઘાવ પર બાંધ્યો.. પણ પાછળનો ઈલાજ ના થઈ શક્યો... મરવાની અડધી ઈચ્છા મરી પરવારી હતી....

ઉભા થયા અને કણસતાં કણસતાં સોફા પર બેઠા... સામે તુટેલો પંખો જોઈને એમણે કપાળ કુટ્યુ... "એક ઓર ખર્ચો વધ્યો... આ કરતાં તો હું રેલ્વે ટ્રેક પર સુઈ જાવ તો સારૂં." નવો આઈડીયા આવ્યો.. સાથે નવો જોમ આવ્યો... ઉભા થયાં અને તરતજ નજીકનાં રેલ્વે ટ્રેક પર ગયાં... થોડું એવું ટ્રેક પર ચાલી જલદી કોઈ આવે જાય નહી એવી જગ્યાએ ઉભા રહી ટ્રેનની રાહ જોવા લાગ્યા... થોડી જ વારમાં નજીકના સિગ્નલ પર ગ્રીન લાઈટ જોઈ અને દુર થી આવતી ફાસ્ટ ટ્રેન દેખાણી.. એ સાથે જ તેઓ ટ્રેક પર જઈને લાંબા થઈ ગયાં... ઝડપથી નજીક આવતી ટ્રેન જોઈને તેમના ધબકારા પણ વધવા લાગ્યા... ટ્રેન નજીક આવતી જાય છે... ૫૦૦ ફુટ.. ૪૦૦ ફુટ.. ૩૦૦ ફુટ.. ૨૦૦ ફુટ... ૧૦૦ ફુટ... અરે આ શું?? ટ્રેન માંડ ૫૦ ફુટ દુર હશે ને ટ્રેનનો ટ્રેક ચેન્જ થઈ ગયો... ટ્રેન ધબધબાટી બોલાવતી બાજુના ટ્રેક પરથી પસાર થઈ ગઈ અને જગુભાઈ એને આંખ ફાડી ને જોતા જ રહ્યા ને બોલ્યા : "હાય રે કિસ્મત!!! બસ હવે તો એક જ રસ્તો છે.. નદી માં ઝંપલાવી દઊં." ટ્રેક પર નજીકમાં નદી હતી એટલે ત્યાં ગયા ને તેમણે પડતું મુક્યુ.. પણ અહી પણ તેમની કિસ્મતે તેમનો સાથ છોડી દિધો... નદીમાં પાણી ફક્ત કમર સુધીનું જ ઉંડું હતુ... તેમને વાગ્યુ તો નહી પણ તેઓ ડુબ્યા પણ નહી... છેવટે એ વિચાર પણ માંડી વાળી ઘર તરફ ચાલવા માંડ્યુ...

ઘરે જઈને તેઓ વાડામાં ગયાં ને ત્યાં એમણે કુવો જોયો... એમને થયુ કે "આ વિચાર મને પહેલાં કેમ યાદ ના અવ્યો"... દોડી ને કુવામાં કુદી પડ્યાં... પડતાં પડતાં ધ્યાન ગયું કે કુવામાં તો પાણી જ નથી...

ત્યાર બાદ તેમણે પોતાને હોસ્પીટના ખાટલામાં પુરા શરીર પર પાટા પીંડી સાથે જોયા.. સામે બેઠેલા બૈરી છોકરાએ એમને પુછ્યુ કે કુવામાં કેમ કરતાં પડ્યા?? ત્યારે એમણે આપ વિતિ કહી... આ સાંભળી તેમનાં છોકરાએ તેમને તતડાવી નાંખ્યા... "શું બાપા આટલી હદે નિષ્ફળતાં હોય???"


-: સપન :-
૦૮.૦૮.૦૮

Wednesday, July 30, 2008

ત્રાસવાદ અંગે

મિત્રો,

પહેલાં નીચેના મુદ્દાઓ ધ્યાનથી વંચો...

(૧) હું જ્યાં રહું છું એ સુરત નો ગોપીપુરા એરીયા ચારે તરફથી મુસલમાન અને વચ્ચે જૈન તથા હિન્દુ વસ્તી ધરાવતો એરીયા છે. આમ છતાં પણ અહીના લોકો આ એરીયાને સુરતનો safest અરીયા કહે છે. આ જ એરીયામા‍ ૬૦ જેટલા જૈન દેરાસરો, હિન્દુ મિલન મંદીર જેવા ઘણાં મંદીરો અને મુસલીમ મસ્ઝીદો આવી છે. દરેક પ્રજા સાથે હળી મળીને રહે છે....

(૨) નજીકમાં જ આવેલું આલિપોર ગામ, જ્યાં એક પણ જૈન ઘર નથી, ફક્ત મુસલમાનો નું તે ગામ છે, છતાં એ જૈનોના પવિત્ર તિર્થ સ્થાનોમા‍ આવે છે. અને આ તિર્થને મુસલમાનો પોતાની પાક મસ્ઝીદ જેટલું જ સાચવે છે.

(૩) હાલમાં જ રીલીઝ થયેલી ફિલ્મ "આમીર" અગર તમે જોઈ હોય તો તમને ખ્યાલ આવશે કે આ ફિલ્મમા‍ મુસ્લીમ આતંકવાદને કેવો જોરદાર તમાચો મારવામા‍ આવ્યો છે, એ પણ એક મુસલમાન દ્વારા જ.....

(૪) મણીરત્નમની બોમ્બે ફીલ્મ રાજનૈતીક ત્રાસવાદ વિશે ઘણું કહી જાય છે... એ તો તમે જાણો જ છો...

(૫) કાશ્મીરના મુસલમાનો આજે પણ ભારતમા‍ જ રહેવા માંગે છે...

(૬) ભારતના મુસલમાનો પોતાને ભારતીય કહેવાનું ગર્વ ધરાવે છે....

(૭) સુરતના એવા વિસ્તારોમાંથી બોમ્બ મળી આવ્યા છે જ્યાં મુસલમાન દારૂગોળા સાથે પગ મુકતાં પણ ગભરાય... તો શું એ અનુમાન ના મુકી શકાય કે આ બોમ્બ કોઈ હિન્દુએ મુક્યા હોય એવુ પણ બને !!

(૮) હાલમા‍ જ મસ્ઝીદોમા‍ બોમ્બ ફુટવા એ ઘટના કઈ તરફ ઈશારો કરે છે??

ઉપરોક્ત મુદ્દાઓ પરથી હું એટલું જ કહેવા માંગુ છું કે દરેક મુસલમાન એ ત્રાસવાદી હોય એ જરૂરી નથી... તો દરેક હિન્દુ એ સીધો દોર હોય એ પણ જરૂરી નથી.... ત્રાસવાદ અને મુસ્લીમ ધર્મને કંઈ લેવા દેવા જ નથી.

હું એમ નથી કહેવા માંગતો કે ત્રાસવાદી હિન્દુ છે, મુસ્લમાન છે, સીખ છે..... પણ હું કહેવા માંગુ છુ કે ત્રાસવાદ એ ફક્ત હિંસક મગજની જ ઉપજ છે.

હવે આનાથી બચવાના ઉપાય....

સૌથી પહેલા તમારામા‍ દેશદાઝ અને માનવપ્રેમ હોવો જરૂરી છે. આ માટે તમારે ગમે તે સંજોગ માટે તૈયાર રહેવુ પડશે.. ગમે તે સમય સંજોગોમાં તમારા કદમ પાછા નહી પડવા જોઈએ... અગર તમારા ધ્યાનમા‍ કોઈ શંકાશીલ વ્યક્તી પ્રવૃત્તી, કે વસ્તુ ધ્યાનમાં આવે તો તુરંત જ પોલીસ ને જાણ કરો... ત્યારે જો તમે એમ વિચાર કરશો કે "પોલીસ મને હેરાન કરી નાખશે... મને જ આ બાબતે પહેલા જાત જાતની પુછ પરછ કરશે.. એવા બગાડવા માટે આપણી પાસે ક્યાં ટાઈમ છે?" તો યાદ રાખશો કે એક પણ બોમ્બ ફુટ્યો અથવા એક પણ મોત થયું તો...સૌથી પહેલા અને સૌથી મોટા ગુન્હેગાર આપ જ કહેવાશો...

સુરતની પ્રજાને આ બદલ દરેક જણે ધન્યવાદ આપ્યા છે કે જેમણે પોતાની જાનની પરવા વગર દરેક શન્કાશીલ વાતની જાણ પોલીસ ને કરી છે. એ જાણીને તમને નવાઈ લાગશે કે જાણકારી આપનાર કોઈને પણ પોલીસે હેરાન નથી કરી.... કે નથી તેમનો વધારે ટાઈમ બગાડ્યો... વરાછા, ત્રિકમ નગરમાં રહેતા ગીતાબેનને તો એક દિવસ રહેવા માટે પાંચ લાખની ઓફર અને ધમકી મળ્યા બાદ પણ તેમણે તેમનો સામનો કર્યો છે.....

આ જ બહાદુરી અગર આપણે સૌ કેળવી લેશું તો ત્રાસવાદીઓની હિંમત નથી કે આપણા દેશને જરા સરખું પણ નુકસાન કરી શકે....

બીજી વાત ખાસ કે ઝુનુન રાખો પરંતુ એટલું નહી કે કોઈ પણ પોતાના ધર્મ કે જાતી વિશે કાંઈ પણ બોલે તો છરા ચપ્પા લઈને ગલીઓ પર ઉતરી આવવું... બોલનાર તો બોલીને છટકી જશે અને આપણું ઝુનુન આપણા જ નિર્દોષભાઈઓનો ભોગ લેશે...

આવું તો ઘણું લખવા લાયક છે... સમયના અભાવે અહિં જ વિરમું છું....

આભાર સહ....

સપન...

Wednesday, July 9, 2008

તારા સપન જોઊ તો જાગતાં વર્ષોના વરસ લાગે
તને ભુલવા માટે તો જનમો ના જનમ લાગે

એક દીન તારે મને મળવુ જ પડશે, એ યાદ રાખજે
આ ઈન્તઝાર પુરો થતા, જનમો ના જનમ લાગે..

=:=: સપન :=:=
તા. ૦૯.૦૭.૨૦૦૮

Friday, July 4, 2008

એક અવળચંડો દીવસ

આપણા જગુભાઈને જેમ જેમ શિયાળો જામે તેમ તેમ વહેલા ઉઠવાનો કંટાળો આવે છે. પણ તે દિવસ તેમના નસીબ નો સૌથી વધુ અવળચંડો દિવસ હતો..

જગુભાઈનો છાપાવાળો અમસ્તો છેક આઠ વાગે આવે પણ તે દિવસે ન જાણે કેમ તે વહેલો સવારે સાડા છ એ પ્રગટ થઈ ગયો. ભાઈ પહેલા માળે રહેતા હતા એટલે છાપાવાળો કાયમ નીચેથી જ છાપુ ઘા કરતો જે સિધુ જગુભાઈ ના બેડરૂમમા પડતું. તે દિવસે છાપુ પંખામા અફળાયા પછી સિધુ ભાઈના નાક સાથે ટિંચાયુ. સાથે પંખાની ધુળનો પણ ભાઈ પર વરસાદ થયો. ભાઈ બિચારા નાક ચોળતા અને ઉંહકારા કરતા ઉભા થયા ફરી સુવાની કોશીસ કરી પણ ૧૦ મિનિટ આળોટ્યા બાદ કંટાળીને ઉભા થયા. ઉભા થતાં વેત હાથમા છાપુ લીધું અને વાંચવાનું શરૂ કર્યુ.

બજારમાં ભરબપોરે ચોરી.. દુકાનમાંથી ૨૦ રૂ. નિ રોકડ ગાયબ
ગામમાં હિરાના બે વેપારીએ અઢિસો રૂપિયામાં ઉઠમણું કર્યુ.
સીમના નેતાએ કુતરાને બચકું ભર્યુ.. (બીચારો કુતરો)
ભગવાન શ્રી રામને હેરાન કરવા બદલ ગ્રામ પંચાયતમાં રાવણ ઉપર કેસ ચલાવાસે

આવા આઘાત જનક સમાચાર વાંચીને ભાઈ કંટાળ્યા. છેવટે ઉભા થયા અને ભાભીને બુમ પાડી...

"સાંભળે છે.. ચા મુક.. તલપ ઉપડી છે"

સામે ભાભી બરાડ્યા..

" શું ખાક ચા મુકું? બે દિવસથી બુમ પાડું છું, ઓફીસેથી આવો ત્યારે ચા લેતા આવજો પણ મારૂ સાંભળે છે કોણ? હવે જાવ અને દુધ અને ચા બન્ને લેતા આવો. જાવ."

બિચારા જગુભાઈ. મુડ મરી ગયો. પણ થાય શું? ચા લેવા નજીકની દુકાને ગયા. મનગમતી "શિયાળ બિલ્લી" ચા ના મળી તેથી કોઈક ભળતી ચા લેવી પડી. ડેરી એ દુધ લેવા ગયા તો ડેરી વાળો બલ્યો.. "આજ થી દુધમાં એક રૂપીયાનો વધારો થાય છે ".. ભાઈ મનમા ને મનમા મોંઘવારી વીશે બળાપો કાઢ્વા લાગ્યા.

ઘરે જઈ ભાભીને ચા - દુધ આપ્યા. ભાભીએ ચા બનાવી આપી. ચા ના પહેલા ઘુટડાએ જ ભાઈની જીભ ચોટી ગઈ. ભુલમા ગરમ ગરમ પીવાઈ ગઈ. સાથે એ પણ ખ્યાલ આવ્યો કે ચા મા ખાંડ નથી. એક મીનિટ માટે ભાઈને થયું કપ રકાબી છૂટા ફેંકે પણ પછી ગુસ્સા ઉપર કાબૂ મેળવી, નહવા જતા રહ્યા. માથામાં શેમ્પુ લગાડ્યુ ત્યાં પાણી જતુ રહ્યુ અને ફુવારો બંધ થઈ ગયો. ભાઈએ છેલ્લે ટુવાલથી માથુ લુછી ચલાવવું પડ્યુ.

બાહર આવી ધોયેલું પેન્ટ ચડાવ્યુ તો પેન્ટની ઝીપ બગડેલી નિકળી. બાકીના પેન્ટ ઈસ્ત્રી વગરના હતા એટલે તેમને આગલા દિવસના પેન્ટથી જ ચલાવવું પડ્યુ. નોકરીએ જવા પારકીંગમાંથી સ્કુટર કાઢી થોડા આગળ વધ્યા હશે ત્યાં તો પેટ્રોલ ખલાસ થઈ ગયું. અડધો કિલોમિટર સ્કુટરને ધક્કો માર્યો અને પેટ્રોલ પંપ પર પહોચ્યા. પેટ્રોલ પુરાવી થોડા આગળ વધ્યા ત્યાં તો પંચર પડ્યુ. નજીકમાં જ ગેરેજ દેખાણું એટલે ત્યાં પંચર બનાવવા સ્કુટર મુક્યુ. ગેરેજ નો માલિક કહે કે આજે માણસ મોડો આવશે એટલે સ્કુટર મુકી જવું પડશે. હવે નોકરીએ જવાનું ખરેખર મોડુ થતું હતું એટલે તેમણૅ સ્કુટર મુકી બસ પકડી.

ગામમાં રહેતા જગુભાઈ શહેરની ઓફીસમાં મહેતાજીની નોકરી કરતાં. પણ ગામડામાં પણ તેઓ ખાસ્સુ ઠાઠવાળુ જીવન જીવતા. તે દિવસે ખીચોખીચ ભરેલી બસમાં તેમણે સારી એવી હાડમારી સહન કરવી પડી. બસે એમને છેક શહેરના નાકે આવેલ બસ ડેપો પર ઉતર્યા બાદ તેમણે ઓફીસ પહોંચવા રીક્ષા પકડી. જ્યારે ઓફીસ પાસે ઉતર્યા ત્યારે ખબર પડી કે તેમનું પાકીટ તો બસમા જ કોઈએ તફડાવી લીધુ હતું. સવાર સવારમાં બોણીનો ટાઈમ હતો એટલે રીક્ષાવાળાની બે ચાર સુરતી ગાળો સાંભળવી પડી.

કાયમ ઓફીસે સવારે નવ વાગે આવી જનાર જગુભાઈ આજે છેક સાડા દસ વાગે આવયા. એ સામે એમના બોસ જે સવારે અગ્યાર પહેલા ઓફીસમાં ક્યારેય નથી દેખાયા તે આજે સવારે નવ વાગ્યાથી આવી જગુભાઈની રાહ જોતા બેઠા હતા. એટલે બોસનો મિજાજ પણ જગુભાઈ ઉપર બગડ્યો. તેમણે પણ જગુભાઈની એક ના સુની.. બોસ બરાડ્યા..

"હું ખાસ આજે એ જ જોવા વહેલો આવેલો કે કોણ મારી ગેરહાજરીનો લાભ ઉઠાવી મોડા આવે છે. મને લાગે છે તમે તો કાયમ મારા આગમનની દસ મિનિટ પહેલા જ આવતા હશો. તમને લોકોને આમ મોડા આવવાનો પગાર આપુ છું? કોઈ ભાન પડે છે કે નહી કે પછી આમ હરામનો જ પગાર ખાવો છે. જાવ તમારા ટેબલ પર ૨૫-૩૦ ફાઈલો મુકી છે એ ચેક કરી એનો હિસાબ મને બપોરે બે વાગ્યા સુધીમાં આપી દો. ત્યાં સુધી લંચ ના પાડતા."

બિચારા જગુભાઈ! નોકરીની બિકે બધુ સહન કરી ગયા. પણ સવારથી દિવસ ખરાબ ગયો હતો એટલે ફાઈલોના કામમાં પણ તેમનાથી વેઠ ઉતરી ગઈ. ફાઈલો બોસને મોકલાવી ટીફીન ખોલ્યું તો તેમાં પણ ભાભી એ ભુલથી શાક-દાળ ખારા કરી નાખ્યા'તાં. ખારા મન સાથે તેમણે પેટની ભૂખ મટાડી ત્યાં બોસે બાહર આવી તેમને ફાઈલોના વેઠ બતાવી ગુસ્સો ઉતાર્યો. ઉપરથી બીજી ઘણી ફાઈલો પકડાવી કહ્યુ કે જ્યાં સુધી કામના પતે ત્યાં સુધી ઘરે જવાનું નામ ના લેતાં. બોસનો ગરમ મિજાજ જોઈ તે કશું બોલી શક્યા નહી. જેમ તેમ કરી દિવસ પુરો કર્યો. પણ કાયમ સાંજે પાંચ વાગે ઓફીસ છોડી જતા જગુભાઈ આજે સાડા છ સુધી નિકળી નોહ્તા શક્યા. અને નિકળતી ફેરી યાદ આવ્યુ કે પાકીટ તો બસમાં જ મરાઈ ગયેલું એટલે તમણે બોસ પાસે બસ્સો રૂપિયા ઉપાડ માંગ્યો. બોસે મો કટાણું કરી બસ્સો તો આપ્યા પણ સાથે સંભળાવ્યુ પણ ખરૂં...

"ટાઈમે ઓફીસ આવતા હો અને સરખુ કામ કરતાં હો તો પુરો પગાર ઉપાડ તરીકે આપું.. હવે કાલથી ટાઈમ પર આવજો.. જાવ"

બાહર નીકળી રીક્ષામાં બેઠા. ડેપો જઈ બસ પકડી અને ગામમાં ઉતર્યા ત્યારે યાદ આવ્યુ કે સ્કુટર તો પાછળ ભુલી આવ્યા. ફરી પાછા રીક્ષા પકડી ગેરેજ પર ગયા અને ત્યાંથી સ્કુટર લઈ ઘર તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં સ્કુટર રીઝર્વમાં પડ્યુ ત્યારે ધ્યાન ગયું કે ગેરેજ વાળાએ પેટ્રોલ કાઢી લિધુ છે. જગુભાઈ ને થયું હાશ હવે ઘરે ગયા બાદ કોઈ ઉપાધી નહી આવે. પણ...

ઘરે પહોંચી ઘરના ખુલ્લા દરવાજામાંથી પ્રવેશ કર્યો ત્યાં સામે સોફા પર સુંદર વસ્ત્રોમાં એકદમ ખુબસુરત રીતે તૈયાર થઈ અને મોઢુ ચડાવીને બેઠેલા ભાભી દેખાણાં. ભાભીને એકદમ તૈયાર થયેલા જોઈ એક મીનીટ માટે તો જગુભાઈ ને આશ્ચર્ય થયું પણ બીજી મિનીટે આંચકો પણ લાગ્યો. ભાભી બરાડ્યા....

"તમને મારા માટે ટાઈમ જ નથી. આજે આપણા જીવનનો આટલો મોટો દિવસ છે તમને મોડા આવતાં જરાય શરમ આવે છે. આજે આપણાં લગ્ન જીવનને પાંચ વરસ પુરા થયાં. કાલે જ કહ્યુ હતુ ને કે વહેલા આવજો... પિક્ચર જોવા જાવું છે... વહેલા આવવાનું તો દુર રહ્યુ ટાઈમ સર પણ ના આવ્યા કે બાહર ફરવા તો જવાય.. છેક નવ વાગે આવ્યા... હવે શું ખાક ફરવા જવાશે? મારા માટે કશું લાવ્યા કે પછી ખાલી હાથ હલાવતા આવ્યા?"

જગુભાઈ શું જવાબ આપે? બિચારા તતફફ કરવા માંડ્યા એટલે ભાભી વધુ અકળાયા. "આખા ગામમાં બધા મિત્રોને ગિફ્ટ આપતા ફરો છો તે તમને હું જ વધારાની લાગી?" અને ભાભી રડવા લાગ્યા... આ જોઈ જગુભાઈ નો પણ પારો ખસ્યો.. આખા દિવસ નો ગુસ્સો ભેગો કરેલો તે હવે બાહર આવવા લાગ્યો..
"તને તો બસ જયારે હોય ત્યારે નાની નાની વાતો માં રડવાનું જ સુજે છે.. આખા દિવસનો ભૂખ્યો છું.. જમવાનું તો પુછ.."

"શું ખાક જમવાનું? કાલે તમે જ તો કહેતા હતા કે ફિલમ જોઈને બાહર જમશું તમારે રવાડે મારી ફીલમ પણ ગઈ અને ભુખ્યા રહેવાનો વારો આવ્યો તે નફામાં... કશું જમવાનું નથી બનાવ્યું.. ચુપચાપ સુકો નાસ્તો અને ચા જમી લ્યો.. મારી તો મેરેજ એનેવર્સરીમાં ધુળ પડી.."

આ સાંભળી જગુભાઈ ના ગુસ્સાના ફટાકડાનું સુરસુરીયુ થઈ ગયું. એક તો સખત ભુખ ઉપરથી સુકો નાસ્તો ખાઈ ને સુવાનું એમા ઘરવાળી પણ રીસાઈ ને બેઠી. જેમ તેમ પેટ ભરી સુવા માટે બેડરૂમના પલંગમાં પડતુ મુક્યું ત્યાં માથે પંખાને જોઈ ને સવારના છાપાની નાક સાથેની ટક્કર યાદ આવી ગઈ અને સાથે યાદ આવી ગઈ આખા દિવસની ઘટમાળ... એ યાદો આવતાં જ જગુભાઈ ડરી ગયા અને ઓશીકુ જમીન પર નાખી સુઈ ગયા..


=:=:= સપન =:=:=
(તા. ૦૯-૦૧-૨૦૦૮)

Friday, May 30, 2008

મને ડંખે....

Photobucket


તુજ વિરહની વેદના મને ડંખે.
તુજ યાદની સંવેદના મને ડંખે.

પ્રેમનું ગણીત, દિલનો દાખલો,
આ આંસુના સરવાળા મને ડંખે.

ઉંઘની બાદબાકી, ગમનો ગુણાકાર,
આ ભાવનાના ભાગાકાર મને ડંખે.

પુનમની રાત, છે મિલન યાદ?
આ અમાસની એકલતા મને ડંખે.

આંખમા આવ્યા, દિલમાં સમાવ્યા,
સપનના કટકા મને ડંખે.

=:=:=: સપન :=:=:=
તા. ૩૧.૦૫.૨૦૦૮

ચાલતાં ચાલતાં ભર રસ્તે....

Photobucket


ચાલતાં ચાલતાં ભર રસ્તે કોઇ મળી ગયુ હતું.
અચાનક આ દિલમાં કોઈ સમાઈ ગયુ હતું.

ઝુકેલી આંખોનું આ દિલ કાયર થઈ ગયુ હતું.
નજર થી નજર મળી આ દિલ ઘાયલ થઈ ગયુ હતું.

પહેલા મિલનમાં જ એને પણ પ્રેમ થઈ ગયો હતો.
ઈશારામાં એકરાર થયો, આ દિલ ઝુમી ગયુ હતું.

એક નાનકડી વાતે એ રીસાઈ ગયો હતો.
વિરહના ડરથી આ દિલ ગભરાઈ ગયુ હતું.

રાહ જોતી રહી અશ્રુભીની આંખો,
એ ના આવ્યો ને આ સપન પુરૂ થઈ ગયુ હતું.

=:=:= સપન =:=:=
તા. ૩૧.૦૫.૨૦૦૮

Thursday, May 8, 2008




હ્રદય નાં ભાવો ને શબ્દ આપવાનો પ્રયાસ ઘણો કર્યો
પણ શબ્દો ની મયા જાળમાં અટવાઈ ને હું રહી ગયો.

કયા ભાવ ને આપું કયો શબ્દ? એ શોધતો રહ્યો
ત્યાં તો ખુદ કવિતાએ તેનો હલ કરી આપ્યો

ઉગતા સુરજ સાથે મનમાં પ્રગટે છે ભક્તિ
રંગ પ્રાર્થનાનો એમાં એણે ભરી આપ્યો

માની આંખો એ નિહાળ્યો ચહેરો મારો
મમતાનો અર્થ એણે કરી આપ્યો

પપ્પા મને પ્રેમથી ભેટ્યા જ્યારે
પીતા નો મર્મ એણે મને સમજાવી આપ્યો

કર્યા જ્યારે દાદા દાદીની તસ્વીરને વંદન
"વિવેક"નો અર્થ એણે મને પમાડી આપ્યો

મિત્રો સાથે જ્યારે મે દિવસ ગુજાર્યો
દોસ્તીનો દિદાર એણે કરાવી આપ્યો

સમી સાંજે ફરતો રહ્યો એ રમણી સાથે
પ્રેમનો સાર એમા એણે સુણાવી આપ્યો

બસ થાકી ગયો અને ઘરે પહોંચ્યો ત્યારે
બહેનના ટહુકાએ એ થાક ઉતારી આપ્યો

પલંગમા પડ્યો પડ્યો રાહ જોઈ નિંદરની
ત્યાં "સપન" નો સ્વાદ ચખાડી આપ્યો

=:=:=: સપન :=:=:=
કાવ્ય બીજ : વિવેક નાણાવટી

Saturday, April 5, 2008

હવે તો પીવા દે...



સુરાલયમાં સાકીને હવે તો જવા દે.
દારુમાં ઘોળી થોડા ગમ હવે તો પીવા દે.

બે બુંદ આંસુના ભળશે, જામ વધુ નશીલો થાશે..
આ આંખોથી દર્દને હવે તો વહેવા દે.

મદીરાના પ્યાલામાં દેખાશે એમનો ચહેરો..
એ મદીરાને મનભરી હવે તો માણવા દે.

દિલના ટુકડે ટુકડા કરી નાખ્યાં છે એમણે..
એની વેદના ને જામમા હવે તો ઉતરવા દે.

તુટેલા "સપન" ના ટુકડા થોડા ઉમેર તેમા..
આ નશામાં વધુ મદહોશ હવે તો થવા દે.

=:=:= સપન =:=:=
૨૭.૦૩.૨૦૦૮

Thursday, March 20, 2008

દિલના દર્દો ને દેખાડી શક્તો નથી


દિલના દર્દો ને દેખાડી શક્તો નથી
પણ આ ઉઝરડા સંતાડી શકતો નથી

હસીને કરૂં છું ભલે હું વાતો
પણ આ આંસુને રોકી શક્તો નથી

આંખ બંધ કરૂં ને યાદ આવે છે એ
પછી તો આ આંખ ઉઘાડી શકતો નથી

વિતેલી ક્ષણોએ ઘેરી લીધો છે મને
હવે આગલી ક્ષણમા વધી શક્તો નથી

શમા એ એવો દઝાડી દીધો છે
આ પરવાનો હવે ઢળી શક્તો નથી

કા‍ચની જેમ ખુંચે છે "સપન"
આ દર્દના આંસુ વહાવી શક્તો નથી

=:=:=: સપન :=:=:=
૨૦.૦૩.૨૦૦૮

Wednesday, February 20, 2008

જિગરની વાત - અનુજય


જિગરની વાત આજે ખુલ્લે-આમ કરવી છે.
પાસે ના આવો કોઈ આજે કત્લ-એ-આમ કરવી છે.
લ્યો, મ્યાનમાંથી શેરની આ શમસેરા કાઢી મે
આજે તો મારે હરેક વેદનાને ત્રાહીમામ કરવી છે.
:: અનુજય ::