Search This Blog

Saturday, August 1, 2009

બાધા લીધી તે મારી જ્યારથી, મને બીજી કોઈ બાધા નડતી નથી..


:: મુળ રચના ::

યાદ તારી નજર ધુંધળાવી જાય છે,
મારું વિશ્વ આમ જ ઝંખવાઈ જાય છે.
ચાલ,
આજે એક વ્યવહારીક રસ્તો વિચારી લઉં,
તું ના મળે ત્યાં સુધી તારી બાધા લઈ લઉ..!!!!!

અહીં નાયિકા તેનાં પ્રિયતમને અનહદ યાદ કરે છે…એનાં કરતાં એમ કહેવું વધુ સારું કે પ્રિયતમ બહુ યાદ આવી જાય છે.એટલી હદ સુધી કે એની યાદ આંખમાંથી આંસુ બનીને વહેવા લાગે છે અને ઘેલી પ્રેમિકા ને આખું વિશ્વ ફીકું -ફીકું લાગે છે,રંગવિહિન.કોઈ જ આશાનું કીરણ નથી એની સામે પ્રિયને મળવાનું.ઓહ..લાચારીની ચરમસીમા..!! જ્યાં જ્યાં જોવે છે ત્યાં એમની મુલાકાતોની મીઠી મધુરી યાદો જ ભરેલી છે.ભુલવું એ તો અશક્યતાનો બીજો છેડો છે જાણે.કોઈ જ રસ્તો ન સુઝતાં એ સાવ ગુમસુમ થઈને મનમાં ને મનમાં હિઝરાતી બેઠી છે.છેલ્લે દુનિયાદારી ના વિશ્વમાં પ્રવેશે છે અને અંતિમ ઉપાય તરીકે જાત સાથે એક સમાધાન કરે છે કે જેને ભુલવા અશક્ય હોય ત્યાં એક બાધા લઈ લેવા દે પ્રિયતમને કહે છે કે, ” તું નહી મળે ત્યાં સુધી તારી જ બાધા…!!”
મિત્રો, આ તો દિલની દુનિયા છે.ઇશ્વર પણ ચકરાઈ જાય આવી પ્રેમસભર બાધા સાંભળીને. એ ખુદ પણ નીચે આવવા માટે મજબૂર થઈ જાય આ પ્રેમઘેલાં વ્યવ્હારિક રસ્તાથી……પ્રેમથી કોઈ કામ અસંભવ નથી.

સ્નેહા-અક્ષિતારક.
૩૧,જુલાઈ.૨૦૦૯.
રાત્રિનાં ૯.૦૦

http://akshitarak.wordpress.com

=====================================================
:: ઉપરોક્ત રચના મારી આ રચનાની પ્રેરણા સ્રોત છે ::
:: પ્રિયતમ તરફથી નાયિકાને પ્રત્યુત્તર ::
=====================================================

અનંત સમયમાં શોધુ છું તને, પણ તુ તો ક્યાંય જડતી નથી…
બાધા લીધી તે મારી જ્યારથી, મને બીજી કોઈ બાધા નડતી નથી..

ના મળુ તને એવી મારી ઈચ્છા નથી…
અરે, તારા વિના તો મારી કોઈ પૃચ્છા નથી…
ઓળખાણ મારી તું જ છે, એ તું ક્યાં જાણતી નથી ??
બાધા લીધી તે મારી જ્યારથી, મને બીજી કોઈ બાધા નડતી નથી..

ઝંખવાઈ જતા આ વિશ્વને તું મારી નજરથી પણ ક્યારેક જો…
તારી યાદથી ધુંધવાઈ જતા મારા હ્રદયને પણ ક્યારેક જો…
વ્યથા ફક્ત તારા એકલી ના હ્રદયને જ પીડતી નથી…
બાધા લીધી તે મારી જ્યારથી, મને બીજી કોઈ બાધા નડતી નથી..

:: સપન ::
૦૧.૦૮.૦૯
=====================================================
અહીં નાયીકાની બાધાની જ્યારે તેના પ્રિયતમને જાણ થાય છે ત્યારે તેનાં પ્રત્યુત્તર રૂપે
આ એ પ્રિયતમનો જવાબ છે.
=====================================================

ઉપરોક્ત રચના સ્નેહાજીની જાણ બહાર જ રચાઈ હતી અને અહીં પોસ્ટ થઈ હતી. પ્રત્યુત્તર માટે બનાવેલી આ રચનામાં જાણતાં-અજાણતાં એમના શબ્દો અને પંક્તિઓનો ઉપયોગ થઈ ગયો.

જેનું તેઓને મનદુઃખ થયુ છે. જે બદલ હું એમનો ક્ષમાપ્રાર્થી છું..

:: સપન ::
૦૪:૦૮:૦૯

8 comments:

sneha-akshitarak said...
This comment has been removed by the author.
sneha-akshitarak said...
This comment has been removed by the author.
sneha-akshitarak said...
This comment has been removed by the author.
Kartik Mistry said...

આ તમે લખ્યું છે? લાગતું નથી..

વિનય ખત્રી said...

તારીખમાં ભૂલ નથીને? બ્લોગ પોસ્ટમાં ૧લી ઓગસ્ટ છે, કાવ્યમાં ૧લી જુલાઈ છે...

sneha-akshitarak said...
This comment has been removed by the author.
sneha-akshitarak said...
This comment has been removed by the author.
sneha-akshitarak said...

sapan..khub j sundar rachna lakhi che tame.mane tamara mate koi j angat verzer nathi..aa to aapne rahya lakhnara..thoda vadhu sensitive..pan tame je rite mari rachna ne gaurav aapyu che te mate hu tamari khub khub aabhari..mari rachna thi prerai ne tame aatli sundar rachna lakhi sakya e badal anhad khusi thai.bhagvan tamne khub aagal lai jay ane tame ek divas safalta ni toch par birajo evi antkaranpurvak prabhu ne prathna..
pachi autograph aapso ne amane?????